Wednesday, January 21, 2026

નવરંગપુરામાં જૂના ઘરઘાટીએ અંગત અદાવત રાખી ડોક્ટરના બંગલોમાં કરી ચોરી, પોલીસે કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ડોક્ટરના બંગલોમાં થયેલ સામાન્ય ઝઘડો ચોરીનીનું કારણ બન્યું! પાંચ વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખી બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતા આરોપીએ ચોરી ઘટનાને અંજામ આપ્યો. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. તેના આધારે ઝોન-1 LCB ની ટીમે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. રસપ્રદ બાબત એ છે કે, બંને આરોપી મૂળ રાજસ્થાનના ડુંગરપુરના છે, કે જેઓ ડુંગરપુર બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ચોરી કરી ચોરી કરવા અમદાવાદ આવ્યા અને ચોરી કર્યા બાદ બાઈક પર ડુંગરપુર પરત ગયા. જોકે ઝોન -1 LCB એ 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરંગપુરા વિસ્તાર પાસે આવેલ મુસ્લિમ સોસાયટી નજીક આનંદ બંગ્લોમાં ચોરીની ઘટના બની હતી. જે મામલે ફરિયાદી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અમદાવાદની ખાનગી શાળામાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પતિ ડોક્ટર છે અને ખાનગી ક્લિનિક ધરાવે છે. 24 તારીખે સવારે 10થી 12:00 વાગ્યાના અરસામાં બે શખ્સોએ બંગ્લોમાં રોકડ રકમ સોના-ચાંદીના દાગીના અને રિવોલ્વર સહિત રૂ. 1,72,000 ચોરી કરી હતી. બંગ્લોના પાછલના દરવાજાથી નકલી ચાવી વડે દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી ચોરી થઈ હતી. શરૂઆતમાં ચોરી કરનાર કોણ હતું તે અંગે સ્પષ્ટતા ન હતી. જેથી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ હતી.

જોકે, બાદમાં પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે તપાસ કરતા હકીકત સામે આવી કે ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ, 5 વર્ષ પહેલા આ જ બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતો બાબુ લાલ કટારા હતો. જે પાંચ વર્ષ પહેલાં આ બંગ્લોમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો પરંતુ, બંગલોના માલિક ડોક્ટર સાથે ઘરઘાટી બાબુલાલ કટારાને પેટ્રોલ પુરાવા બાબતે બબાલ થઈ હતી અને ઝઘડો થયો, જે બાદ ઘરઘાટી તરીકે હાંકી કાઢવામાં આવ્યો.જેથી આ ઝઘડાની અદાવત રાખીને ઘરઘાટી બાબુલાલ કટારાએ ડોક્ટરના ઘરમાં જ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

પોતે આ બંગલોમાં કામ કરતો હોવાના કારણે ડોક્ટર અને તેની પત્નીની મુવમેન્ટ અને ઘરની ભૌગોલિક સ્થિતિ વાકેફ હતો. દિવસ દરમિયાન બાર 12 અરસામાં બાંગ્લામાં ઘરે કોઈ હોતું નથી જે ઘરઘાટી સારી રીતે જાણતો હતો. જેથી તેને આ જ બંગ્લોમાં દૂધ આપવા આવતા જીતેન્દ્ર બરંડા નામના વ્યક્તિ સાથે ચોરીનો પ્લાન બનાવ્યો. બંને આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી અને મિત્રો છે. જીતેન્દ્ર બરંડા નામના આરોપીને પૈસાની જરૂર હોવાથી ચોરીની ઘટનામાં જોડાયો અને ચોરી કરી. પોલીસે બંને આરોપી પાસેથી 1.54 લાખ અને રિવોલ્વર જપ્ત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...