Sunday, March 15, 2026

નવરંગપુરામાં જૂના ઘરઘાટીએ અંગત અદાવત રાખી ડોક્ટરના બંગલોમાં કરી ચોરી, પોલીસે કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ડોક્ટરના બંગલોમાં થયેલ સામાન્ય ઝઘડો ચોરીનીનું કારણ બન્યું! પાંચ વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખી બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતા આરોપીએ ચોરી ઘટનાને અંજામ આપ્યો. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. તેના આધારે ઝોન-1 LCB ની ટીમે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. રસપ્રદ બાબત એ છે કે, બંને આરોપી મૂળ રાજસ્થાનના ડુંગરપુરના છે, કે જેઓ ડુંગરપુર બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ચોરી કરી ચોરી કરવા અમદાવાદ આવ્યા અને ચોરી કર્યા બાદ બાઈક પર ડુંગરપુર પરત ગયા. જોકે ઝોન -1 LCB એ 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરંગપુરા વિસ્તાર પાસે આવેલ મુસ્લિમ સોસાયટી નજીક આનંદ બંગ્લોમાં ચોરીની ઘટના બની હતી. જે મામલે ફરિયાદી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અમદાવાદની ખાનગી શાળામાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પતિ ડોક્ટર છે અને ખાનગી ક્લિનિક ધરાવે છે. 24 તારીખે સવારે 10થી 12:00 વાગ્યાના અરસામાં બે શખ્સોએ બંગ્લોમાં રોકડ રકમ સોના-ચાંદીના દાગીના અને રિવોલ્વર સહિત રૂ. 1,72,000 ચોરી કરી હતી. બંગ્લોના પાછલના દરવાજાથી નકલી ચાવી વડે દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી ચોરી થઈ હતી. શરૂઆતમાં ચોરી કરનાર કોણ હતું તે અંગે સ્પષ્ટતા ન હતી. જેથી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ હતી.

જોકે, બાદમાં પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે તપાસ કરતા હકીકત સામે આવી કે ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ, 5 વર્ષ પહેલા આ જ બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતો બાબુ લાલ કટારા હતો. જે પાંચ વર્ષ પહેલાં આ બંગ્લોમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો પરંતુ, બંગલોના માલિક ડોક્ટર સાથે ઘરઘાટી બાબુલાલ કટારાને પેટ્રોલ પુરાવા બાબતે બબાલ થઈ હતી અને ઝઘડો થયો, જે બાદ ઘરઘાટી તરીકે હાંકી કાઢવામાં આવ્યો.જેથી આ ઝઘડાની અદાવત રાખીને ઘરઘાટી બાબુલાલ કટારાએ ડોક્ટરના ઘરમાં જ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

પોતે આ બંગલોમાં કામ કરતો હોવાના કારણે ડોક્ટર અને તેની પત્નીની મુવમેન્ટ અને ઘરની ભૌગોલિક સ્થિતિ વાકેફ હતો. દિવસ દરમિયાન બાર 12 અરસામાં બાંગ્લામાં ઘરે કોઈ હોતું નથી જે ઘરઘાટી સારી રીતે જાણતો હતો. જેથી તેને આ જ બંગ્લોમાં દૂધ આપવા આવતા જીતેન્દ્ર બરંડા નામના વ્યક્તિ સાથે ચોરીનો પ્લાન બનાવ્યો. બંને આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી અને મિત્રો છે. જીતેન્દ્ર બરંડા નામના આરોપીને પૈસાની જરૂર હોવાથી ચોરીની ઘટનામાં જોડાયો અને ચોરી કરી. પોલીસે બંને આરોપી પાસેથી 1.54 લાખ અને રિવોલ્વર જપ્ત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...