Friday, January 23, 2026

અમદાવાદની આ શાળાઓમાં સરપ્રાઈઝ ડ્રાઈવ યોજાઈ, ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાલી-વિદ્યાર્થીઓનું આકસ્મિક ચેકિંગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની શાળાઓમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિવિધ મુદ્દે ચકાસણી હાથ ધરાઇ હતી. RTO, ટ્રાફિક વિભાગ, DEO અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. એક રિપોર્ટ મુજબ સેટેલાઈટની નારાયણગુરુ વિદ્યાલય, શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, ગીરધરનગરની સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં આ ટીમે આકસ્મિક ચેકિંગ કર્યુ હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરની શાળાઓમાં RTO, ટ્રાફિક વિભાગ, DEO અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યુ હતું.સેટેલાઈટની નારાયણગુરુ વિદ્યાલય, શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, ગીરધરનગરની સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં આ ટીમે આકસ્મિક ચેકિંગ કર્યુ હતું. બિનઅધિકૃત રીતે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ સામે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે. આ સાથે જ હેલ્મેટ પહેર્યા વગર જ તેમજ ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા બાળકોને શાળાએ મૂકવા આવતા વાલીઓ અને લાયસન્સ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે.

શાળાઓમાં યોજાયેલ આ સંયુક્ત ડ્રાઈવ દરમિયાન સગીર વિદ્યાર્થીઓ સ્કૂલમાં વાહન લઇને આવતા નજરે પડ્યા હતા, તો પોતાના સંતાનોને ટુ વ્હિલર પર સ્કૂલે મુકવા આવનાર વાલીઓ હેલમેટ વગર જોવા મળ્યા હતા.શાળાઓમાં યોજાયેલ આ સંયુક્ત ડ્રાઈવ દરમિયાન નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો અને વાલીઓ સામે દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. સાથે જ બિનઅધિકૃત રીતે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને આ પ્રકારે ભૂલનું પુનરાવર્તન નહીં કરવા સમજાવ્યા હતા.

ટીમ દ્વારા વિરુદ્ધ વાહન લઈને આવતાં વિદ્યાર્થીઓ સામે એક્શન લીધા હતા.જે સગીર વિદ્યાર્થીઓ સ્કૂલમાં વાહન લઇને આવે છે, તેમના વાલીઓને આગામી સમયમાં RTO પ્રોસેસમાં હાલાકીનો સામનો કરવો પડી શકે છે.આ ઉપરાંત શાળામાં ઓવરલોડ વિદ્યાર્થીઓ ભરીને આવતા સ્કૂલ વેન ચાલકો તેમજ પ્રાઇવેટ પાસિંગનું વાહન લઈને આવતા સ્કૂલ વાહન ચાલકો સામે પણ દંડ વસૂલવામાં આવ્યો. આવા અલગ અલગ વાહન ચાલકો પાસેથી અંદાજે 50 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે હાઈકોર્ટના કડક વલણ છતાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી. હજુ પણ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું, લાયસન્સ વગર વાહન ચલાવવા સહિત નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં નાની ઉંમરે બાળકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા ભારે વાહનો ચલાવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ RTO અને ટ્રાફિક પોલીસને સાથે રાખી શાળાઓમાં સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...