Friday, January 23, 2026

અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે, GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ કરાવશે

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નવરાત્રિના પ્રથમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 3 ઓક્ટોબરના રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ ગૃહમંત્રી દ્વારા કરાવવામાં આવશે. બીજા દિવસે સાંજે માણસાના બીલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી અને દર્શન કરશે.

આગામી 3 અને 4 ઓક્ટોબર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં 3 ઓક્ટોબરે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સવારે એસજી હાઇવે પર કારગીલ પેટ્રોલ પંપ નજીક મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપશે. ત્યાર બાદ બાજુમાં નવા બનેલા વેજીટેબલ માર્કેટને ખુલ્લુ મુકશે. ભાડજ ખાતે નવી બનાવેલી નવી પ્રાથમિક શાળાનું પણ મુલાકાત લેશે. ભાડજ ખાતે ગાંધીનગર લોકસભા સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

સાંજે 5 વાગ્યે અમદાવાદમાં શાહીબાગ ખાતે બનાવવામાં આવેલી નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કર્યા બાદ રાત્રે 8 વાગ્યે GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો તેઓ દ્વારા કરાવવામાં આવશે. 3 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં જ વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. આ ઉપરાંત રાત્રે અમદાવાદમાં વિભિન્ન વોર્ડમાં આયોજિત શેરી ગરબા મહોત્સવમાં નારણપુરા વોર્ડમાં, જોધપુર વોર્ડમાં અને મકરબા વોર્ડના ગરબામાં પણ તેઓ હાજર રહેવાના છે.

બીજા દિવસે ચાર ઓક્ટોબરના રોજ સાંજે માણસા તાલુકાના બિલોદરા ગામ ખાતે સ્કૂલમાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે માણસા નજીક આવેલા તેમના વતન ખાતે માતાજીની આરતી માં તેઓ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે તેઓ નવરાત્રિમાં દર વર્ષે પરિવાર સાથે માતાજીના દર્શન કરવા જતા હોય છે. જેમાં આ વર્ષે પણ તેઓ પરિવાર સાથે કુળદેવીના દર્શન કરવા જવાના છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...