Wednesday, March 11, 2026

ન્યુ સાયન્સ સીટી રોડ પર મંડળીના ગરબામાં પ્રવેશને લઈને લોકોએ હોબાળો મચાવ્યો, જાણો કારણ ?

spot_img
Share

અમદાવાદ : નવરાત્રી દરમિયાન અમદાવાદના એસપી રીંગ રોડ પર ન્યુ સાયન્સ સીટી રોડ તરફ જતા મધુબન પાર્ટી પ્લોટમાં યોજાયેલા મંડળીના ગરબામાં આયોજકો દ્વારા 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં ન આવતાં ખેલૈયાઓએ હોબાળો કર્યો હતો. મંડળી ગરબાના આયોજકોનો લોકોએ હુરિયો બોલાવ્યો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે પોલીસે પણ ગરબા આયોજકના નિયમ પ્રમાણે થશે તેમ કહ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ન્યુ સાયન્સ સીટી રોડ ઉપર આવેલા મધુબન પાર્ટી પ્લોટમાં મંડળી નામથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ પાસ ખરીદ્યા હતા. લોકો ગરબામાં નાના બાળકોને પણ લઈને આવતા હોવાથી તેમના પણ પાસ ખરીદ્યા હતા પરંતુ આયોજકોએ નાના બાળકોને પ્રવેશ નહીં જ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે પાસ ખરીદેલા હોવા છતાં પણ નાના બાળકો સાથે પ્રવેશ આપવામાં આવતા હોબાળો કર્યો હતો. પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ત્રણેક દિવસ પહેલાં નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ પાછળથી હવે પ્રવેશ ન આપવામાં આવતા પણ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

એક ખેલૈયાએ જણાવ્યું હતું કે અમે ઓનલાઈન પાસ ખરીદ્યા હતા હવે બાળકો સાથે આયોજકો દ્વારા ગરબામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી જેને લઇને લોકોએ હોબાળો મચાવ્યો હતો.100થી વધારે લોકો બહાર ઉભા હતા આયોજકો દ્વારા બાળકો સાથે પ્રવેશ નહીં જ આપવાનો નિર્ણય કરવામાં આવતા પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ પણ ત્યાં આવી હતી. જોકે પોલીસે પણ ગરબા આયોજકના નિયમ પ્રમાણે થશે તેમ કહ્યું હતું.

ત્રણ દિવસ પહેલા નાના બાળકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ શનિવારથી નાના બાળકોને પ્રવેશ આપવાનો બંધ કરી દેવામાં આવતા પહેલાથી જે લોકોએ પાસ ખરીદ્યા હતા ત્યારે લોકો હોબાળો કર્યો હતો.છેલ્લી ઘડીએ આ રીતે નિર્ણય કરવામાં આવતા નોન્સેનસ બાબત લોકોએ ગણાવી હતી. આ રીતે પોસ્ટ મૂકવામાં આવતા અનેક ખેલૈયાઓમાં રોષ ફેલાયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...