Tuesday, October 14, 2025

હાઉસિંગ રિડેવલપમેન્ટ પોલિસીને વેગ આપવામાં નીરસતા ! જવાબદાર કોણ હાઉસિંગ બોર્ડ કે તંત્ર ?

Share

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સરકારી જમીન પર બનેલ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે જાહેર કરાયેલ પોલિસી 2016 માં હજી જોઈયે તેવી સફળતા મળી રહી નથી.2016 થી 2024 સુધીમાં જોવા જઈએ તો આંગળી વેઢે ગણી શકાય તેટલી સોસાયટી એ જ લાભ લીધો છે અને તે પણ તે સોસાયટીઓના આગેવાનોની પ્રબળ ઈચ્છાશક્તિને કારણે શક્ય બનેલ છે. બાકી સરકારી તંત્ર તો ગોકળગાયની ગતિએ કાર્ય કરી રહ્યું છે.

એક ચર્ચા મુજબ ગત વર્ષ 2022માં હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન અને અલગ અલગ સંગઠનો દ્વારા કરાયેલ આંદોલન અને તે દરમ્યાન દર્શાવેલ સૂચનો પર પ્રજાલક્ષી જરૂરી સુધારા બાદ હાલમાં ટેન્ડરમાં સરળતા છે, પણ કાર્ય પદ્ધતિમાં કોઈ બદલાવ નથી.કેટલીક સોસાયટીઓના મૌખિક સંમતિ પર ટેન્ડર પાડી બિલ્ડર ફાળવી વર્ક ઓર્ડર (એલઓએ) પણ આપી દેવાયા છે. જ્યારે કેટલીક સોસાયટીઓ તો સંમતિ નિયમ મુજબ લેખિત આપી છે તેમ છતાં તેમના ટેન્ડર પ્રકાશિત થતાં નથી, કેટલીક સોસાયટીઓમાં ટેન્ડર પ્રકાશિત કર્યા છે પણ ઈન્ડીકેટિવ પ્લાન બોર્ડ દ્રારા અપાયેલ નથી તો કેટલીક સોસાયટીઓમાં કોલોનીઓ દ્વારા ઈન્ડીકેટિવ પ્લાન સહી સિક્કા કરી આપી દીધા છે અને મહિનાઓ વિતી ગયા તો પણ કોરીજેન્ડમ કરાતા નથી, વગેરે ફરિયાદો સોસાયટીના અગ્રણીઓ અને જાણકાર રહીશો કરી રહ્યાં છે.

અધિકારીઓના સ્ટાફ અછત અને પ્રાથમિકતાના કારણો ધરી કામને લટકાવવામાં આવતું હોય તેવું લાગે છે. કેટલાક પ્રશ્નો એવા પણ જનમાનસમાં ચર્ચાય છે કે આવું જાણી જોઈને પણ કરાતું તો નહિ હોય ને! હાલ 5 કે 7 કે 10 બિલ્ડર્સ છે તો અધિકારીઓ તેમને ગોળ ગોળ ફેરવી શકે પણ જો એક સાથે 25-30 બિલ્ડર્સ આવી ગયા તો તેઓ એક થઈ જશે અને અધિકારીઓનું વર્ચસ્વ ઘટી જશે કે મલાઈની આવક બંધ થઈ જશે. પ્રજા મતમાં ફેલાતી આશંકા જો સાચી હોય તો કોઈની લાલચમાં જરૂરિયાતવાળી નિર્દોષ પ્રજાને હેરાન થવા દેવાની, જર્જરિત મકાનોમાં મરવા દેવાની! જેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.

કેટલીક ઈડબલ્યુએસ, એલઆઈજી કે એમઆઈજી જેવી સોસાયટીઓમાં બિલ્ડર ફાળવાયા પછી કેટલાક માથાભારે તત્વો મોટા મકાન બનાવી રિડેવલપમેન્ટમાં સંમત સભ્યોને ડરાવી નિયમ મુજબ બહુમત થવા દેતા નથી તો અધિકારીઓ તેના માટે બિલ્ડર કે એસોસિયેશન પર જવાબદારી કે દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે, પણ કાયદા મુજબ મળેલ પોતાની સત્તા કે સ્પેશ્યલ સુઓમોટોનો ઉપયોગ કરી ચોક્કસ કિસ્સાઓમાં અસંમત સભ્યોના વધારાના બાંધકામ કેમ તોડતા નથી. પોતાની ફરજો અને જવાબદારીમાંથી છટકી જવાનું અને બધું તૈયાર થાય એટલે આગળ આવી નિયમો ફરજો બતાવવાની.નિયમો મુજબ બિલ્ડર્સ કે એસોસિયેશનને દબાવવાનો પ્રયાસો પ્રત્યક્ષ પરોક્ષ કરવાના, આવી પરિસ્થિતિઓ ઊભી કરવા પાછળના અધિકારીઓના હેતુ શું હોઈ શકે એતો બધા સમજી જ ગયા હશો.

કેમ બોર્ડ લેવલે ચોક્કસ ઠરાવો રિડેવલપમેન્ટ માટે બનાવતા નથી, જેવા કે રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીમાં અસંમત સભ્યોનું કે બધાનું વધારાનું બાંધકામવાળા મકાનની સંમતી લેવી જ નહિ કે ટકાવારીમાં ગણાશે જ નહી. 100% સંમતિ કરવામાં પણ ગુ.હા.બોર્ડની જવાબદારી ત્રીજા પક્ષ તરીકે હોવી જ જોઈએ અને તે માટે સરકારી તંત્ર પણ અગ્રેસર રહેવું જોઈએ. બિલ્ડર ભાડાનું રિસ્ક લે છે માટે બિલ્ડર ને નુકશાન થાય છે પણ સમયસર પોતાની જવાબદારી પૂરી ના કરતા અધિકારી કેમ દંડાતા નથી. કેટલીક સોસાયટી તો અધિકારીઓએ પોતાના અહમ કે સ્વાર્થ ના સધાતા કે અધિકારી રાજ ડર બતાવવા જાણી જોઈને ચુંથી નાખી હોય તેવું પણ સ્થાનિક લોકો અને બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છે. જો કાર્યમાં દરેક વખતે સ્ટાફનું બહાનું આપી છટકી જવું હોય કે જવાબદારીમાં નથી આવતું તેમ કહી છટકવું હોય તો તેવા અધિકારીઓને નોકરીની જવાબદારી પણ ના આપી છૂટા કરી દેવા જાેઈએ. અને સ્ટાફ ભરતી ના કરી શકતી કે પ્રાથમિકતા નક્કી કરી શકતી ના હોય તેવી સંસ્થાને તાળું મારી દેવું વધુ સારું રહેશે અને જમીન ભાડે પટ્ટે થી દુર કરી પ્રજાને લોકાર્પણ રીતે મુક્ત કરી દેવી જાેઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...