Wednesday, January 21, 2026

અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદીની સાથે મનોરંજન, બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ, જાણો A TO Z માહિતી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દુબઈ, હોંગકોંગ, સિંગાપોર જેવા વિવિધ દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ જેવા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સિંધુભવન રોડ ઉપર ઓક્સિજન પાર્કની બાજુમાં આવેલા પ્લોટમાં બનાવવામાં આવેલી શોપિંગ સ્ટ્રીટનું ઉદઘાટન કરી 95 દિવસ સુધી ચાલનારા શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારે હવે જેમ જેમ રાજ્યવાસીઓને જાણ થાય છે તેમ તેમ ભીડ જામી રહી છે.

આ શરૂ કરાયેલા ફેસ્ટિવલ શોપિંગ ઉત્તરાયણ સુધી ચાલશે. જેમાં 60થી વધારે અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મનોરંજનથી લઈ મનગમતી મોટા ભાગની વસ્તુઓ આ સ્ટોલો પર મળી રહશે. નાના બાળકો માટે રમકડા બસ સહિત જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ રાખવામાં આવેલી છે. સાથો સાથ ખાણી-પીણીના સ્ટોલો તો છે જ. આપને જણાવી દઈએ કે શોપિંગ ફેસ્ટિવલમાં રિલાયન્સ રિટેઈલ, સંકલ્પ રેસ્ટોરાં, ITC નર્મદા, ક્રાઉન પ્લાઝા, ઝોમેટો, બુક માય શો, માણેકચોકના જ્વેલર્સો સહિત બ્રાન્ડેડ કંપનીઓ તેમજ રિટેલર્સ જોડાયા છે. એટલે જ નહી પરંતુ ફૂડ ઝોન, શોપિંગ અને આર્ટિઝન ઝોન, મ્યુઝિક અને કલ્ચરલ એક્ટિવિટી ઝોન, સ્પોર્ટ્સ ઝોન અને એન્ટરટેનમેન્ટ ઝોન પણ ઉભા કરાયા છે.

આપને જણાવી દઈએ કે, આ શોપિંગ ફેસ્ટિવલમાં શેરી-આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતા વાંચન અને મ્યુઝિક ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ્સ, સ્ટેન્ડ-અપ કોમેડી શો સહિતનું આ આયોજન કરાયું છે.

આ શોપિંગ સ્થળો ક્યાં ક્યાં ?
સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુજરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ
થલતેજ પેલેડિયમ મોલ, ઇસ્કોન મોલ, વસ્ત્રાપુર આલ્ફા વન મોલ, નિકોલ પેવેલિયન મોલ
સિંધુ ભવન રોડ, સી. જી. રોડ, મણીનગર – કાંકરિયા રામબાગ રોડ, નિકોલ – મોડર્ન સ્ટ્રીટ અને નરોડા વિસ્તાર, કયા કયા મોલ જોડાશે

લક્ઝરી બ્રાન્ડ્સ, કપડાં, ઝવેરી, ઇલેક્ટ્રોનિક્સ આઈટમમમાં 15થી 35 ટકાની વચ્ચે ડિસ્કાઉન્ટ મળશે.ડ્રોન શોથી લઈ લાઇટ એન્ડ લેસર શો તેમજ ફૂડ ફેસ્ટિવલ પણ ખરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાકરીયા મણિનગર રોડ પર યોજવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલમાં જે નાગરિકોને શોપિંગ કરવા માટે જશે તેઓ માટે AMTS બસમાં ભાડું ચુકવવાનું રહેશે નહી, જેના માટે નાગરિકો શોપિંગ ફેસ્ટિવલની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારેબાદ એક QR કોડ આપવામાં આવશે. જે કોડ બસમાં સ્કેન કરતાની સાથે જ તેઓને જે નક્કી કરેલા સ્થળ ઉપર શોપિંગ માટે જવું હોય ત્યાં QR કોડ બતાવતાની સાથે જ તેઓને મફતમાં મુસાફરી કરવા મળશે. ઉલ્લેખનીય વાતે એ છે કે, દર દસ મિનિટે આ શટલ બસ ફેરા કરશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...