Wednesday, March 4, 2026

અમદાવાદમાં ભાડાકરાર કર્યા વગર પ્રોપર્ટી ભાડે આપનાર 100થી વધુ માલિકો વિરૂદ્ધ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અનેક વખત જાહેરનામું બહાર પાડીને પણ ભાડાકરાર ફરજીયાત કરવાનો હુકમ કર્યો છે, તેમ છતાંય લોકો કમિશનરના હુકમનું પાલન કરતા નથી. દિવાળી નજીક આવી રહી છે, ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે પોલીસ એક્શન મોડ પર આવી છે અને ભાડા કરાર વગર રહેતા અને ધંધો કરતા લોકો પર તવાઇ બોલાવી છે. ગઇકાલે પોલીસે ભાડાકરાર કર્યા વગર પ્રોપર્ટીને ભાડે આપનાર માલિકો વિરૂદ્ધ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 100થી વધુ ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેર પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ મકાનો ભાડે આપતા મકાન માલિકો અને ભાડુઆત વચ્ચે સ્ટેમ્પ પર કરાર, નોટરીઝના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે, અને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. પરંતુ કેટલાક મકાનમાલિકો મકાન ભાડે આપ્યા બાદ કરાર કરાવવાની તસ્દી લેતા નથી. નવરાત્રિ પુરી થયા બાદ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં ચોર, તસ્કરો, લૂંટારૂ સહિતના અસામાજીક તત્ત્વો પોતાના ઇરાદા પાર પાડવા માટે આવતા હોય છે. ભરચક વિસ્તારની રેકી કર્યા બાદ ભાગવાના રસ્તા શોધ્યા બાદ ચોરી, લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. ગુનેગારો રેકી કરે ત્યા સુધી તે શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો ભાડે રાખીને રહેતા હોય છે. મકાન માલિક વધુ ભાડાની લાલચમાં ગુનેગારોને મકાન ભાડે આપી દેતા હોય છે અને બાદમાં તેઓ ફસાઇ જતા હોય છે. શહેરમાં હજુ પણ હજારો લોકો છે કે ભાડા કરાર વગર રહે છે અને ધંધો પણ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વમાં કોઇ લૂંટ, ચોરી જેવી ઘટના બને નહિ તેમજ આંતકવાદી હુમલા જેવી ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા અનેક વખત માહિતી મળતી હોય છે કે, ત્રાસવાદી, અસમાજીક તત્ત્વો શહેરના રહેણાક તેમજ ઔધોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો લઇને જાહેર સલામતી અને શાંતીને ભંગ કરતા હોય છે. આવા લોકોને રોકવા માટે અને દિવાળી શાંતી પુર્ણ પુરી થાય તે હેતુસર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયુ હતું. શહેર પોલીસે 100થી વધુ પ્રોપર્ટીના માલિકો વિરૂદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગના ગુના દાખલ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...