Saturday, January 24, 2026

અમદાવાદમાં ભાડાકરાર કર્યા વગર પ્રોપર્ટી ભાડે આપનાર 100થી વધુ માલિકો વિરૂદ્ધ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અનેક વખત જાહેરનામું બહાર પાડીને પણ ભાડાકરાર ફરજીયાત કરવાનો હુકમ કર્યો છે, તેમ છતાંય લોકો કમિશનરના હુકમનું પાલન કરતા નથી. દિવાળી નજીક આવી રહી છે, ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે પોલીસ એક્શન મોડ પર આવી છે અને ભાડા કરાર વગર રહેતા અને ધંધો કરતા લોકો પર તવાઇ બોલાવી છે. ગઇકાલે પોલીસે ભાડાકરાર કર્યા વગર પ્રોપર્ટીને ભાડે આપનાર માલિકો વિરૂદ્ધ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 100થી વધુ ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેર પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ મકાનો ભાડે આપતા મકાન માલિકો અને ભાડુઆત વચ્ચે સ્ટેમ્પ પર કરાર, નોટરીઝના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે, અને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. પરંતુ કેટલાક મકાનમાલિકો મકાન ભાડે આપ્યા બાદ કરાર કરાવવાની તસ્દી લેતા નથી. નવરાત્રિ પુરી થયા બાદ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં ચોર, તસ્કરો, લૂંટારૂ સહિતના અસામાજીક તત્ત્વો પોતાના ઇરાદા પાર પાડવા માટે આવતા હોય છે. ભરચક વિસ્તારની રેકી કર્યા બાદ ભાગવાના રસ્તા શોધ્યા બાદ ચોરી, લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. ગુનેગારો રેકી કરે ત્યા સુધી તે શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો ભાડે રાખીને રહેતા હોય છે. મકાન માલિક વધુ ભાડાની લાલચમાં ગુનેગારોને મકાન ભાડે આપી દેતા હોય છે અને બાદમાં તેઓ ફસાઇ જતા હોય છે. શહેરમાં હજુ પણ હજારો લોકો છે કે ભાડા કરાર વગર રહે છે અને ધંધો પણ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વમાં કોઇ લૂંટ, ચોરી જેવી ઘટના બને નહિ તેમજ આંતકવાદી હુમલા જેવી ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા અનેક વખત માહિતી મળતી હોય છે કે, ત્રાસવાદી, અસમાજીક તત્ત્વો શહેરના રહેણાક તેમજ ઔધોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો લઇને જાહેર સલામતી અને શાંતીને ભંગ કરતા હોય છે. આવા લોકોને રોકવા માટે અને દિવાળી શાંતી પુર્ણ પુરી થાય તે હેતુસર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયુ હતું. શહેર પોલીસે 100થી વધુ પ્રોપર્ટીના માલિકો વિરૂદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગના ગુના દાખલ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...