Friday, January 16, 2026

MLA જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવ્યો દલિત સમાજ, IPS રાજકુમાર પાંડિયનને સસ્પેન્ડની માંગ સાથે કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન

spot_img
Share

ગાંધીનગર : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને IPS અધિકારી રાજકુમાર પાંડિયન વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જીગ્નેશ મેવાણીનો આરોપ છે કે, તેઓ દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયા હતા પરંતુ અધિકારી રાજકુમાર પાંડિયન દ્વારા તેમનુ અપમાન કરવામાં આવ્યું જેથી જીગ્નેશ મેવાણી આ મામલે લાલઘૂમ થયા છે. આ મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, દલિત–સામાજિક સંગઠનો તેમજ કૉંગ્રેસના કાર્યકરો ગાંધીનગરમાં આવેલી DG ઑફિસની બહાર દેખાવ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને IPS અધિકારી રાજકુમાર પાંડિયન વચ્ચેનો વિવાદ વચ્ચે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સમર્થનમાં મોટી સંખ્યામાં દલિત–સામાજિક સંગઠનો તેમજ કૉંગ્રેસના કાર્યકરો ગાંધીનગરમાં આવેલી DG ઑફિસની બહાર દેખાવ કર્યો હતો.અને તેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, શૈલેષ પરમાર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન જીગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા હતા. જીગ્નેશ મેવાણીએ એક જ માંગ કરી છે કે, ગેરવર્તણૂક મામલે રાજકુમાર પાંડિયનને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ IPS રાજકુમાર પાંડિયન, મારી કોઇપણ સમયે હત્યા કે એન્કાઉન્ટર કરાઇ શકે છે. આ ગર્ભિત ભય વ્યક્ત કરીને IPS પાંડિયન વિરૂદ્ધ કાર્યવાહી કરવા CMને પત્ર લખ્યો હતો. DG ઓફિસમાં રાજકુમાર પાંડિયને ખરાબ વર્તન કર્યાનો આરોપ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ લગાવ્યો હતો. જો કે આ આરોપોને IPS રાજકુમાર પાંડિયન ફગાવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...