Saturday, January 24, 2026

દિવાળીમાં ઈમર્જન્સી કેસ પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સની સંખ્યામાં કરાયો વધારો

spot_img
Share

અમદાવાદ : દિવાળીના 5 દિવસ માટે અમદાવાદના રસ્તાઓ પર વધુ દસ 108 સેવા એટલે કે 108 એમ્બ્યુલન્સ વધારે દોડાવવામાં આવશે. સામાન્ય દિવસો કરતા દિવાળી ટાણે દાઝવાના, ફૂડ પોઈઝનિંગ, અકસ્માતના કેસમાં વધારો થતો જોવા મળે છે.દિવાળીના દિવસોમાં આગ કે અકસ્માતના બનાવો બનતા એમ્બ્યુલન્સની સૌથી પહેલા જરૂર પડે છે તેથી 108ની સેવા તાત્કાલિક મળી રહે તે માટે સરકારે 838 એમ્બ્યુલન્સ, 38 ICU ઓન વ્હીલ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત રહેવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફટાકડા ફોડવાથી કે તેના તણખા ઉડવાથી આગની ઘટનાઓ, દાઝી જવાની ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે તહેવારોમાં દુર્ઘટનાઓ વધતા એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કર્યો છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમરજન્સી કોલમાં 16 ટકા વધારો થાય છે. દિવાળીમાં દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાતો હોય છે.

તેમજ બ્લેક સ્પોટ પર બંદોબસ્ત, બમ્પ, સિગ્નલ, સાઈન બોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તહેવારમાં બહાર જતાં અને ઓવરસ્પીડના કેસ જોવા મળતાં હોય છે. 75 ટકા કેસ રોડ અકસ્માતના જોવા મળતા હોય છે. તહેવારમાં ઈમરજન્સી સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે. સાંજના સમયે અકસ્માતો વધતા અધિકારીઓએ લોકોને જોખમકારક ચીજવસ્તુઓથી દૂર રહેવા વિનંતી કરી છે.

તહેવાર દરમિયાન દાઝી જવું, રોડ અકસ્માત, પેટનો દુઃખાવો, તાવ, મારામારી, શ્વાસ લેવામાં તકલીફ જેવા કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. જો કે દિવાળીના તહેવારમાં હોસ્પિટલો પણ રજાનો માહોલ હોય છે. તેવા સમયે 108 સેવા હોસ્પિટલ સાથે પણ સતત સંપર્કમાં રહશે અને 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં તાલીમબદ્ધ ઓફિસર, ડોકટરની સેવા સાથે સમગ્ર ગુજરાતમાં 838 જેટલી અત્યાધુનિક એમ્બ્યુલન્સ ઉપલ્બ્ધ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...