Thursday, March 5, 2026

અમદાવાદને મળશે પ્રથમ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ, જાણો કેવી સુવિધાઓથી હશે સજ્જ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે રિવર ક્રૂઝમાં બેસીને ભોજનનો આનંદ માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટને તંત્રની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આમ અમદાવાદની ઓળખમાં અક્ષર રિવર ક્રુઝ બાદ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટનો ઉમેરો થશે. આ રિવર ક્રૂઝની વિશેષતાની વાત કરીએ તો તેમાં 265 વ્યક્તિ બેસી શકશે અને આ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ 45 મીટર લાંબી હશે. સાથે જ ગર્વની બાબત એ છે કે ભારતનું પ્રથમ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ હશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રારંભ થઇ શકે છે. જેમાં લોકો મ્યુઝિક સહિત અનેક પ્રકારની સુવિધાઓ માણી શકશે. જેમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે. આ પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની છે.અમદાવાદ શહેરને ભારતની સૌથી પહેલી ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટની ભેટ મળશે. જે રિવરફ્રન્ટના સૌંદર્યને વધારશે. આ ફ્લોટિંગ બેન્કવેન્ટ વિથ રેસ્ટોરન્ટ 265 લોકોની ક્ષમતા વાળું હશે.

સાબરમતી નદીમાં જોવા મળનાર આ તરતી ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટમાં એક સાથે 265 જેટલા લોકો એકસાથે બેસી શકશે. તેની લંબાઈ 49 મીટર અને 12 મીટર પહોળી હશે. જેમાં લગભગ 265 લોકોનો સમાવેશ કરી શકાશે.ફ્લોટિંગ રેસ્ટોરન્ટની જેમ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ પણ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ. તેનું સંચાલન કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...