Monday, November 10, 2025

ગુજરાત પોલીસનું આવકારવા દાયક પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદ

spot_img
Share

ગાંધીનગર: રાજ્યના નાગરિકોની સુવિધા માટે ગુજરાત પોલીસે એક મહત્વનું પગલું લીધુ છે.પોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે કે તમારી સાથે પોલીસ તોછડાઈ ભર્યું વર્તન કરે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો.અને ગુજરાત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે ‘આપની જાગૃતિ, રાખશે આપને સલામત! જો આપ પોલીસની વર્તણૂકમાં અસભ્યતા અનુભવતા હોવ તો ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 14449 પર સંપર્ક કરો અને સહાય મેળવો.’ જો કોઈ નાગરિક દ્વારા આ નંબર પર સંપર્ક કરવામાં આવશે તો તપાસ કરીને જે અસભ્યતા ભર્યું વર્તન કરનાર પોલીસ કર્મી સામે કડક ભાગલા ભરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,10 નવેમ્બરે અમદાવાદના બોપલ વિસ્તારમાં બહુચર્ચિત માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી ગુજરાત પોલીસનો કોન્સ્ટેબલ છે. બોપલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી વીરેન્દ્ર પઢેરિયા દારૂનો નશો કરીને સામાન લઇને પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આ આખો ઝગડો અને હત્યા નો બનાવ બનવા પામ્યો હતો. જેથી આ ઘટના બાદ ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારનો હેલ્પ લાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...