Tuesday, May 5, 2026

ઘાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં અમિત શાહની ટકોર, આયુષ્માન વયવંદના કાર્ડ કાઢવામાં ધારાસભ્યોની નબળી કામગીરી

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ભાજપનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ ઘાટલોડિયામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાના ધારાસભ્યોની આયુષ્માન વયવંદના કાર્ડ અંગે નબળી કામગીરી અંગે ટકોર કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર લોકસભા સંસદીય વિસ્તારમાં આવતી અને રાજ્યના મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તાર એવા ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ હાજરી આપી જેમાં હાજર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ખાસ ટકોર કરતા કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનામાં અને તેની અમલવારીમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.આયુષ્માન વય વંદના યોજનાને લઈ અમદાવાદના ધારાસભ્યોની નબળી કામગીરી અંગે અમિત શાહે ટકોર કરી. અમદાવાદમાં સ્નેહ મિલન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાર્યકરોને ટકોર કરી. ગાંધીનગર લોકસભામાં આયુષ્માન વય વંદના કાર્ડની કામગીરી ધીમી ચાલતી હોવાનું અમિત શાહે જણાવ્યું.

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેમના વચન પત્રમાં 70 કે તેથી વધુ વર્ષના લોકો માટે આયુષ્યમાન યોજના ની જાહેરાત કરી હતી. જેમાં પાંચ લાખ સુધીની મફત સારવારનો વચન આપ્યું હતું અને સરકારનું ગઠન થયા બાદ આ યોજનાની અમલવારી પણ કરાવી હતી જે અંતર્ગત હવે તમામ 70 કે તેથી વધુ વયના લોકોને આ યોજનાનો લાભ મળે તેના માટે નોંધણી કરાવી જરૂરી છે પરંતુ આ કામગીરીમાં ધારાસભ્યો ને નિષ્ક્રિયતાની ખુદ અમિત શાહ દ્વારા નોંધ લેવામાં આવી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ઘાટલોડિયા વિધાનસભા સિવાય તમામ વિધાનસભામાં કામગીરી નબળી છે તેવું તેમણે ટકોર કરી. PM મોદી આયુષ્માન કાર્ડની મહત્વની યોજના લાવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું, આપણી લોકસભામાં 70 વર્ષથી વધુ વયના 1 લાખ 85 હાજર મતદારો છે.

તમામ ધારાસભ્યો, પદાધિકારીઓ પાસે મતદાર યાદી પહોંચી ચૂકી છે કોઈ 70 વર્ષથી લોકો રહી ન જાય તે જોજો.. ધારાસભ્યો, પદાધિકારીઓને આયુષ્માન વય વંદના કાર્ડ માટે કેમ્પ કરવા પણ સૂચના આપી. અમિત શાહે કહ્યું આજે કાર્ડને લઈ કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ મારા ધ્યાન પર મૂકાઈ છે જેનું એક બે દિવસમાં નિવારણ આવી જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...