Saturday, March 7, 2026

અમદાવાદમાં ચાલુ ટ્રેનમાંથી કૂદી પડેલી મહિલાને RPF કોન્સ્ટેબલે બચાવી લીધી

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદ શહેરમાં આવેલા ગાંધીગ્રામ સ્ટેશન પર ટ્રેન ઊપડી ગયા બાદ પરિવારના સભ્યો રહી જતા મહિલા ચાલુ ટ્રેનમાંથી કૂદી પડી હતી. જોકે સ્ટેશન પર ફરજ દરમિયાન હાજર RPF કોન્સ્ટેબલનું ધ્યાન પડતાં તેણે મહિલાને બચાવી લીધી હતી,જેમાં કોન્સ્ટેબલને પણ નજીવી ઇજા થઈ હતી.રેલવે દ્વારા ટ્રેનને રોકી પરિવારને ટ્રેનમાં બેસાડવામાં આવ્યો હતો.


પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત શનિવારે રાતે 8.20 વાગ્યે ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સાપ્તાહિક ટ્રેન ઊપડી હતી, તે જ સમયે એક પરિવારના સભ્યો આવ્યા હતા અને ટ્રેનમાં ચઢવાની કોશિશ કરી હતી. આ સમયે ટ્રેન ધીમી ગતિએ ચાલુ હોવાથી મહિલા ટ્રેનમાં ચઢી ગઈ હતી જ્યારે પરિવારના બાકીના સભ્યો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. આથી ટ્રેનમાં ચઢી ગયેલી મહિલા ડરી ગઈ હતી અને તેને લાગ્યું કે, તે પરિવારથી છૂટી પડી ગઈ છે, તેથી તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું હતું અને ટ્રેનમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો. આ સમયે ત્યાં ફરજ પર હાજર RPF કોન્સ્ટેબલ વિકાસ કુમારે આ ટ્રેનમાંથી કૂદી રહેલી મહિલાને પકડી લીધી હતી અને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ ટ્રેનને અટકાવાતા કોન્સ્ટેબલ વિકાસ કુમારે પરિવારના સભ્યોને તે જ ટ્રેનમાં ચઢી જવા સૂચના આપતા તમામ ટ્રેનમાં બેસી ગયા હતા.

પરિવારના તમામ સભ્યો અને મહિલાએ RPF કોન્સ્ટેબલ વિકાસ કુમારનો હર્દયપૂર્વકનો આભાર માન્યો હતો.જયારે ટ્રેનને સંપૂર્ણપણે રોકવામાં આવી ત્યારે કોન્સ્ટેબલ વિકાસ કુમાર દ્વારા પરિવારને ટ્રેનમાં બેસાડવામાં આવ્યો હતો.મિશન જીવન રક્ષા હેઠળ કોન્સ્ટેબલ વિકાસ કુમાર દ્વારા કરાયેલ કરવામાં આવેલ કાર્ય સરાહનીય છે.માહિતિ મળતા રેલવે DRM દ્વારા કોન્સ્ટેબલ વિકાસ કુમારની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...