Friday, March 13, 2026

અમદાવાદના વાંચન પ્રેમીઓ માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે આંતરરરાષ્ટ્રીય બુક ફેરનું કર્યું ઉદઘાટન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય બુક ફેરને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બુકફેર આઠ ડિસેમ્બર સુધી યોજાશે. આ પુસ્તક મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયર પ્રતિભા જૈન, કોર્પોરેશનના અધિકારીઓ, અમદાવાદના ધારાસભ્ય હાજર રહ્યાં હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વખર્ચે પુસ્તક ખરીદવામાં આવ્યું હતું. અહીં પુસ્તક ખરીદવા આવતા લોકો માટે સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે જેમાં વડાપ્રધાન મોદીના હાથમાં બંધારણનું પુસ્તક પણ જોવા મળે છે. આ પુસ્તક મેળામાં 147 પ્રકાશકો અને 340 સ્ટોલ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેનમાર્ક, સિંગાપુર, યુએઇ જેવા દેશમાંથી જાણીતા લેખકો અને વક્તાઓ આ પુસ્તક મેળામાં આવશે. ગુજરાતમાંથી રઘુવીર સિંહ ચૌધરી, કુમારપાળ દેસાઇ, જગદીશ ત્રિવેદી, શાહબુદ્દીન રાઠોડ વગેરે જેવા સાહિત્યકાર પણ ઉપસ્થિત રહેશે.

બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને વિવિધ દેશોની ફિલ્મ બતાવવામાં આવશે. રસોઇના શોખીનો માટે પાક કલા મંચ ઉભુ કરવામાં આવ્યું છે જ્યાં રસોઇના પુસ્તકો ઉપરાંત કુકિંગ અંગે માહિતી આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...