Sunday, March 15, 2026

અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા નવતર પ્રયોગ, બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ‘પરીક્ષા પર્વની ગુરુચાવી’ કાર્યક્રમ શરૂ કરાયો

spot_img
Share

અમદાવાદ: આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષા યોજાવવાની છે ત્યારે વિદ્યાર્થી સારામાં સારા ટકાએ ઉત્તીર્ણ થાય તે માટે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે “પરીક્ષા પર્વની ગુરુચાવી”. જેમાં બોર્ડની પરીક્ષામાં મહત્વપૂર્ણ વિષયોના 15 મિનિટના વીડિયો વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવશે, જેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ધાર્યું પરિણામ મેળવી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા “પરીક્ષા પર્વની ગુરુચાવી” કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સુધીના પ્રત્યેક દિવસે 15 મિનિટનો વીડિયો યુટ્યુબ પર દર્શાવવામાં આવશે. જેમાં યુટ્યુબ ચેનલનું નામ પણ “પરીક્ષા પર્વની ગુરુચાવી” રાખવામાં આવ્યું છે.વીડિયોમાં વિદ્યાર્થીઓને મહત્વના વિષયોની ટિપ્સ મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં શાળાઓમાં શિક્ષકો નથી અને ટ્યુશનમાં જઈ શકે તેવી વ્યવસ્થા નથી તેવા વિદ્યાર્થીઓ આ માધ્યમથી અભ્યાસ કરી શકશે. આ માટે DEO દ્વારા યુટ્યુબ ચેનલ બનાવવામાં આવી છે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે.બોર્ડની પરીક્ષા નજીક આવતા જ વિદ્યાર્થીઓ અવઢવ અનુભવતા હોય છે કે શું વાંચવું અને કેવી રીતે વાંચવું. વિદ્યાર્થીઓની આ અવઢવને દૂર કરવાનો પ્રયાસ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે.

આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્યના DEO કૃપાબેન ઝાએ જણાવ્યું હતું કે, “પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે તમામ વિષયોની તૈયારી કેવી રીતે કરવી તે અંગે સમગ્ર શહેરની DEO ની અને શિક્ષકોની ટીમ દ્વારા આ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બોર્ડની પરીક્ષામાં જે દર વર્ષે પ્રશ્નો પુછવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને આ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.” ધો. 10 અને 12માં મહત્વપૂર્ણ હોય તેવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટ્સ, સ્ટેટેસ્ટિક્સ સહિતના વિષયોની માહિતી આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...