Saturday, January 24, 2026

અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા નવતર પ્રયોગ, બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ‘પરીક્ષા પર્વની ગુરુચાવી’ કાર્યક્રમ શરૂ કરાયો

spot_img
Share

અમદાવાદ: આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષા યોજાવવાની છે ત્યારે વિદ્યાર્થી સારામાં સારા ટકાએ ઉત્તીર્ણ થાય તે માટે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે “પરીક્ષા પર્વની ગુરુચાવી”. જેમાં બોર્ડની પરીક્ષામાં મહત્વપૂર્ણ વિષયોના 15 મિનિટના વીડિયો વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવશે, જેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ધાર્યું પરિણામ મેળવી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા “પરીક્ષા પર્વની ગુરુચાવી” કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સુધીના પ્રત્યેક દિવસે 15 મિનિટનો વીડિયો યુટ્યુબ પર દર્શાવવામાં આવશે. જેમાં યુટ્યુબ ચેનલનું નામ પણ “પરીક્ષા પર્વની ગુરુચાવી” રાખવામાં આવ્યું છે.વીડિયોમાં વિદ્યાર્થીઓને મહત્વના વિષયોની ટિપ્સ મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં શાળાઓમાં શિક્ષકો નથી અને ટ્યુશનમાં જઈ શકે તેવી વ્યવસ્થા નથી તેવા વિદ્યાર્થીઓ આ માધ્યમથી અભ્યાસ કરી શકશે. આ માટે DEO દ્વારા યુટ્યુબ ચેનલ બનાવવામાં આવી છે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે.બોર્ડની પરીક્ષા નજીક આવતા જ વિદ્યાર્થીઓ અવઢવ અનુભવતા હોય છે કે શું વાંચવું અને કેવી રીતે વાંચવું. વિદ્યાર્થીઓની આ અવઢવને દૂર કરવાનો પ્રયાસ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે.

આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્યના DEO કૃપાબેન ઝાએ જણાવ્યું હતું કે, “પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે તમામ વિષયોની તૈયારી કેવી રીતે કરવી તે અંગે સમગ્ર શહેરની DEO ની અને શિક્ષકોની ટીમ દ્વારા આ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બોર્ડની પરીક્ષામાં જે દર વર્ષે પ્રશ્નો પુછવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને આ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.” ધો. 10 અને 12માં મહત્વપૂર્ણ હોય તેવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટ્સ, સ્ટેટેસ્ટિક્સ સહિતના વિષયોની માહિતી આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...