Wednesday, March 4, 2026

હવે અમદાવાદીઓને ફેમસ ફ્લાવર શોમાં જવું મોંઘુ પડશે, એન્ટ્રી ફીમાં કરાયો ધરખમ વધારો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક અને સુંદરતાને નિહાળવા માટે આવે છે. આ વખતે AMC દ્વારા ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં વધારો કરાયો હોવાની જાણકારી મળી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ખાતે આગામી મહિનામાં યોજાતા ફ્લાવર શૉની એન્ટ્રી ફી AMC દ્વારા બમણી કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફ્લાવર શૉની એન્ટ્રી માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 અને શનિવાર-રવિવારે 100 રૂપિયા એન્ટ્રી ફી લેવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, AMC હેઠળની શાળાઓના બાળકોને ફ્રીમાં એન્ટ્રી રાખવામાં આવી છે, જ્યારે અન્ય શાળાના બાળકોને 10 રૂપિયા ટિકિટ છે.

પિટુનીયા જેવી ફૂલોની જાતિના 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર્સ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. 30થી વધુ વિદેશી ફૂલોની જાતિ પણ લોકોને જોવા મળશે. આ ઉપરાંત વીમકા, ગજેનિયા, એન્ટિરિનીયમ, એસ્ટર, તોરણીયા, પાઇન્સેનટીયા જરબેરા, ડહેલીયા વગેરે પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળશે. ફૂલ છોડના રોપાઓના વેચાણ માટે 8 જેટલી ખાનગી નર્સરીના સ્ટોલ રહેશે. જંતુનાશક દવા બિયારણ, ગાર્ડન ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુઓના વેચાણ માટેના 21 સ્ટોલ હશે. ખાણીપીણીને લગતા 15 જેટલા ફૂડ કોર્ટ પણ હશે.

જ્યારે ગત વર્ષની વાત કરીએ તો, ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં સોમવારથી શુક્રવારમાં રૂ.50 અને શનિવાર-રવિવારે 75 રૂપિયા એન્ટ્રી ફી હતી. ગત વર્ષે યોજાયેલા ફ્લાવર શૉને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. AMCના મેયરને તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...