Thursday, September 18, 2025

ખાનગી હોસ્પિટલો પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા દબાણ નહીં કરી શકે, સરકારનો મોટો નિર્ણય

Share

Share

ગાંધીનગર : તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ હવે સરકાર તાળા લગાવવા જઈ રહી છે. ગુજરાતમાં ગાજેલા ખ્યાતિ મોતકાંડ બાદ હવે ગુજરાત સરકાર જાગી છે અને આરોગ્ય ક્ષેત્રે કડક પગલા લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ માટે રાહતનાં નિર્ણય લીધો છે. ખાનગી હોસ્પિટલો હવે દર્દીઓને પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા દબાણ નહી કરી શકે. પોતાનાં મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનું દબાણ કરતી હોસ્પિટલો સામે સરકાર એક્શન મોડમાં આવી જવા પામી છે. તેમજ ખોરાક અને ઔષધ નિયમને પરિપત્ર જાહેર કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા ફરજ નહીં પાડી શકાય. આ અંગે મેડિકલ સ્ટોરની બહાર બોર્ડ ફરજિયાતપણે લગાવવું પડશે કે, આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી.ત્યારે હવે ખાનગી હોસ્પિટલનાં મેડીકલમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી. હોસ્પિટલોએ પોતાની મેડિકલમાંથી દવાની ખરીદી ફરજિયાત ન હોવાની નોટિસ પણ લગાવવી પડશે. ખોરાક અને ઔષધ નિયમને તમામ ખાનગી હોસ્પિટલોને સૂચના આપી છે.

તંત્રના તાબા હેઠળના તમામ મદદનીશ કમિશનરને જણાવવાનું કે, રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે આવેલ ઈન હાઉસ મેડીકલ સ્ટોર પાસેથી હોસ્પિટલના દર્દીઓને દવા ખરીદ કરવા માટે ફરજ પાડી શકાય નહીં. આથી દરેક ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોએ ખાસ સૂચના દર્દીઓ દવા ખરીદ કરવા આવે ત્યારે સ્પષ્ટપણે દેખાય તે રીતે ફરજીયાતપણે લગાવવાની રહેશે. ‘”આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’ તેવુ બોર્ડ ફરજિયાતપણે લગાવવું.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...