Wednesday, March 18, 2026

ઈસ્કોન મંદિરમાં દીકરીનું બ્રેઈનવોશ કરી શિષ્ય સાથે ભગાડી દીધાના ગંભીર આક્ષેપ, પિતાએ હાઈકોર્ટના ખખડાવ્યા દ્વાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર આવેલુ ઈસ્કોન મંદિર વિવાદમાં આવ્યુ છે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના કથિત બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી છે. પિતાનો આક્ષેપ છે કે શહેરના ઇસ્કોન મંદિરે તેમની દીકરીનું બ્રેઈનવોશ કર્યું છે. દીકરી ઇસ્કોન મંદિરના પૂજારીના કબજામાં છે. તેને રોજ ડ્રગ્સ-ગાંજો આપવામાં આવે છે. દીકરીને પાછી મેળવવા માટે પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા નિવૃત્ત આર્મી જવાને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મંદિરના પૂજારી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારની દીકરીને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જૂન મહિનામાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે યુવાન દીકરીને ભગાડી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટમાં કરેલી રજૂઆત અનુસાર 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ દીકરીને ભગાડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ ગુરુએ પોતાના શિષ્ય સાથે દીકરીના લગ્નની વાત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલગ જ્ઞાતિ હોવાથી અરજદારે દીકરીના લગ્ન માટે ઈન્કાર કરી દીધો હતો . હાલ ઉત્તર પ્રદેશના મથુરામાં અરજદારની દીકરી હોવાની માહિતી અરજદારને મળી હતી. જેના પગલે અરજદારે પોલીસ કમિશનર, કાયદા અને ગૃહ મંત્રાલયમાં પણ અરજી આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...