Tuesday, March 3, 2026

રાણીપના NRI વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયા ટોળકીએ 26 લાખ પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના રાણીપના એનઆરઆઈ વૃદ્ધને પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાની કહીને સાઈબર ગઠિયાઓએ 25.62 લાખ પડાવી લીધા છે. મુંબઈ જીપીઓના અધિકારી તરીકે ઓળખ આપીને વૃદ્ધ સાથે મહિલાએ ફોન પર વાત કરી હતી. એ પછી મુંબઈ સાઈબર ક્રાઈમના અધિકારી તરીકે ઓળખ આપી તેમને ઘરમાં ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જો પૈસા નહીં આપે તો અમદાવાદથી મુંબઈ લઈ જવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાષ્ટ્રદીપ સોસાયટીમાં રહેતા મનુભાઈ પટેલ(73) ના પરિવારના તમામ સભ્યો અમેરિકા રહે છે જ્યારે મનુભાઈ અને તેમના પત્ની દર વર્ષે અમેરિકા જતા-આવતા રહે છે. 20 ડિસેમ્બરે અજાણ્યા નંબરથી મહિલાએ ફોન કરીને વૃદ્ધને ચાઈના મોકલેલા પાર્સલમાંથી 6 પાસપોર્ટ, 5 એટીએમ કાર્ડ, કપડાં, લેપટોપ અને 50 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. વૃદ્ધે કહ્યું કે, મેં કોઈ પાર્સલ મોકલ્યું નથી.હવે આ ગેરકાયદેસર પાર્સલને લઈને મુંબઈ સાયબર ક્રાઈમમાં તમારા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આવુ કહીને મુંબઈ સાયબર ક્રાઈમના એક અધિકારી સાથે વાત કરાવવાનું કહી ગઠિયાએ વીડિયો કોલ કર્યો હતો. જેમાં મુંબઈ સાયબર ક્રાઈમમાંથી જુનિયર ઓફિસર સંદીપ ડાંગર તથા ડીસીપી બાલસિંગ રાજપૂત બોલી રહ્યા છીએ એવું ઠગોએ કહ્યું હતું. તેમણે કહ્યું કે તમારા વિરૂદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેથી ધરપકડ પણ થશે અને મુંબઈ લઈ જઈને સાત વર્ષ સુધીની તમારે જેલની સજા ભોગવવી પડશે.

આમ કહીને NRIને કહ્યું કે તમારા પાસપોર્ટને પણ અમે જપ્ત કરી દઈશું. એટલું જ નહીં અમેરિકા પણ તમે નહીં જઈ શકો એવી ધમકી આપી હતી. સાયબર ઠગોએ બાદમાં કહ્યું કે તમારા એકાઉન્ટમાં પછી જેટલા પણ રૂપિયા પડ્યા છે તે RBIના સ્પેશિયલ એસ્ક્રો એકાઉન્ટમાં ફોરેન્સિક વેરિફિકેશન માટે મોકલવા પડશે. આ વેરિફિકેશન થઈ ગયા પછી તમને તમારા રૂપિયા પરત મળી જશે. જેથી તેમણે અલગ અલગ બેન્ક એકાઉન્ટથી FD તોડાવી કાઢી અને કૂલ 25 લાખ 62 હજાર રૂપિયા આરટીજીએસ મારફતે સાયબર ઠગોને મોકલી આપ્યા હતા. હવે આ રૂપિયા પરત ન આવતા તેમણે જાણ થઈ કે આ તો કદાચ સ્કેમ થઈ ગયો છે. જેથી કરીને તેમને તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જાણ કરી દીધી હતી. તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી દીધી છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે.

સાઈબર ગઠિયાઓએ વૃદ્ધને કહ્યું કે, તમારી ઉપર 24 કલાક સર્વેલન્સ રખાયું છે. અમારા પોલીસવાળા ખાનગી કપડામાં તમારા ઘરની બહાર ઊભા જ છે. તેવું કહીને 24 કલાક વીડિયો કોલ ચાલુ રખાવી કોઈની સાથે વાત ન કરવા અને કોઈને ઘરમાં આવવા ન દઈ ડિજિટલી અરેસ્ટ કરી રાખ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...