Sunday, January 18, 2026

રાણીપના NRI વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયા ટોળકીએ 26 લાખ પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના રાણીપના એનઆરઆઈ વૃદ્ધને પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાની કહીને સાઈબર ગઠિયાઓએ 25.62 લાખ પડાવી લીધા છે. મુંબઈ જીપીઓના અધિકારી તરીકે ઓળખ આપીને વૃદ્ધ સાથે મહિલાએ ફોન પર વાત કરી હતી. એ પછી મુંબઈ સાઈબર ક્રાઈમના અધિકારી તરીકે ઓળખ આપી તેમને ઘરમાં ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જો પૈસા નહીં આપે તો અમદાવાદથી મુંબઈ લઈ જવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાષ્ટ્રદીપ સોસાયટીમાં રહેતા મનુભાઈ પટેલ(73) ના પરિવારના તમામ સભ્યો અમેરિકા રહે છે જ્યારે મનુભાઈ અને તેમના પત્ની દર વર્ષે અમેરિકા જતા-આવતા રહે છે. 20 ડિસેમ્બરે અજાણ્યા નંબરથી મહિલાએ ફોન કરીને વૃદ્ધને ચાઈના મોકલેલા પાર્સલમાંથી 6 પાસપોર્ટ, 5 એટીએમ કાર્ડ, કપડાં, લેપટોપ અને 50 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. વૃદ્ધે કહ્યું કે, મેં કોઈ પાર્સલ મોકલ્યું નથી.હવે આ ગેરકાયદેસર પાર્સલને લઈને મુંબઈ સાયબર ક્રાઈમમાં તમારા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આવુ કહીને મુંબઈ સાયબર ક્રાઈમના એક અધિકારી સાથે વાત કરાવવાનું કહી ગઠિયાએ વીડિયો કોલ કર્યો હતો. જેમાં મુંબઈ સાયબર ક્રાઈમમાંથી જુનિયર ઓફિસર સંદીપ ડાંગર તથા ડીસીપી બાલસિંગ રાજપૂત બોલી રહ્યા છીએ એવું ઠગોએ કહ્યું હતું. તેમણે કહ્યું કે તમારા વિરૂદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેથી ધરપકડ પણ થશે અને મુંબઈ લઈ જઈને સાત વર્ષ સુધીની તમારે જેલની સજા ભોગવવી પડશે.

આમ કહીને NRIને કહ્યું કે તમારા પાસપોર્ટને પણ અમે જપ્ત કરી દઈશું. એટલું જ નહીં અમેરિકા પણ તમે નહીં જઈ શકો એવી ધમકી આપી હતી. સાયબર ઠગોએ બાદમાં કહ્યું કે તમારા એકાઉન્ટમાં પછી જેટલા પણ રૂપિયા પડ્યા છે તે RBIના સ્પેશિયલ એસ્ક્રો એકાઉન્ટમાં ફોરેન્સિક વેરિફિકેશન માટે મોકલવા પડશે. આ વેરિફિકેશન થઈ ગયા પછી તમને તમારા રૂપિયા પરત મળી જશે. જેથી તેમણે અલગ અલગ બેન્ક એકાઉન્ટથી FD તોડાવી કાઢી અને કૂલ 25 લાખ 62 હજાર રૂપિયા આરટીજીએસ મારફતે સાયબર ઠગોને મોકલી આપ્યા હતા. હવે આ રૂપિયા પરત ન આવતા તેમણે જાણ થઈ કે આ તો કદાચ સ્કેમ થઈ ગયો છે. જેથી કરીને તેમને તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જાણ કરી દીધી હતી. તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી દીધી છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે.

સાઈબર ગઠિયાઓએ વૃદ્ધને કહ્યું કે, તમારી ઉપર 24 કલાક સર્વેલન્સ રખાયું છે. અમારા પોલીસવાળા ખાનગી કપડામાં તમારા ઘરની બહાર ઊભા જ છે. તેવું કહીને 24 કલાક વીડિયો કોલ ચાલુ રખાવી કોઈની સાથે વાત ન કરવા અને કોઈને ઘરમાં આવવા ન દઈ ડિજિટલી અરેસ્ટ કરી રાખ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...