Thursday, March 5, 2026

અમદાવાદનો એસ.જી. હાઇવે પર પકવાનથી ઇસ્કોન સર્કલ વચ્ચેનો રોડ બનશે ‘ડસ્ટ ફ્રી રોડ’

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના પોશ ગણાતા એરિયાનો હાઇવે એટલે કે એસ.જી. હાઇવે જે લગભગ હંમેશા ટ્રાફિકથી ભરપૂર રહે છે, તે 100% ડસ્ટ ફ્રી બનવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં સરખેજ અને ગાંધીનગરને જોડતા એસજી રોડને ડસ્ટ ફ્રી બનાવી દેશે. હાલમાં 2 કિલોમીટર સુધીના રોડને સરકાર ડસ્ટ-ફ્રી અને પ્રદુષણ મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ પ્રોજેક્ટમાં પકવાનથી ઇસ્કોન સર્કલ વચ્ચેના રોડને ડસ્ટ-ફ્રી અને પ્રદુષણ મુક્ત બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરનો એસજી હાઇવે ટૂંક સમયમાં ડસ્ટ ફ્રી બની જશે. સફેદ શર્ટ પહેરી નિકળશો તો પણ તમારા સફેદ કપડાં પર ડાઘ નહીં પડે. આ અંતર્ગત કામ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરના એસ. જી. હાઇવેની કાયાપલટ થઈ રહી છે.હાઇવેનો રોડ મેપ જોઈને કોઈપણ તેનાથી ચકિત થઈ જાય તેવો છે. આ રસ્તાઓ વિદેશના રસ્તાઓ પર ટક્કર મારે તેવા બની રહ્યા છે.આ કદાચ રાજ્યનો પહેલો હાઇ વે હશે જે ડસ્ટ ફ્રી હશે અને તેની સાથે તમામ સુવિધા સાથે બનેલો પહેલો રોડ હશે.

એસજી હાઇવે પર મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કાફે, ગાર્ડન, વોકવે, સાઇકલ ટ્રેક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. લોકો વાહનો યોગ્ય રીતે પાર્ક કરી શકે અને ટ્રાફિક ન થાય તે માટે સર્વિસ રોડ અને ડેવલપ થનારા એરિયા વચ્ચે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવસે. 1 કિલોમીટર ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવા માટે અંદાજે 25થી 30 લાખ ખર્ચ થશે. ધૂળિયા રોડથી લોકોને બચાવવા પહેલીવાર મુખ્ય રોડ પર આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

સરખેજથી ગાંધીનગર સુધીનો 40 કિમી લાંબો એસજી હાઇવે હવે ગ્રીન કોરિડોર તરીકે ડેવલપ કરાશે. જેમાં પકવાનથી ઇસ્કોન સર્કલ સુધીનો રોડ ડસ્ટ ફ્રી કરવાની કામગીરી 8 મહિનામાં પૂરી થશે. મ્યુનિ., ઔડા, ગુડા અને નેશનલ હાઇવે ઓથોરિટી મળી આ પ્રોજેક્ટ ચાલવશે.જે રાજ્યનો પહેલો ડસ્ટ ફી રોડ હશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...