Tuesday, January 20, 2026

અમદાવાદનો એસ.જી. હાઇવે પર પકવાનથી ઇસ્કોન સર્કલ વચ્ચેનો રોડ બનશે ‘ડસ્ટ ફ્રી રોડ’

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના પોશ ગણાતા એરિયાનો હાઇવે એટલે કે એસ.જી. હાઇવે જે લગભગ હંમેશા ટ્રાફિકથી ભરપૂર રહે છે, તે 100% ડસ્ટ ફ્રી બનવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં સરખેજ અને ગાંધીનગરને જોડતા એસજી રોડને ડસ્ટ ફ્રી બનાવી દેશે. હાલમાં 2 કિલોમીટર સુધીના રોડને સરકાર ડસ્ટ-ફ્રી અને પ્રદુષણ મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ પ્રોજેક્ટમાં પકવાનથી ઇસ્કોન સર્કલ વચ્ચેના રોડને ડસ્ટ-ફ્રી અને પ્રદુષણ મુક્ત બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરનો એસજી હાઇવે ટૂંક સમયમાં ડસ્ટ ફ્રી બની જશે. સફેદ શર્ટ પહેરી નિકળશો તો પણ તમારા સફેદ કપડાં પર ડાઘ નહીં પડે. આ અંતર્ગત કામ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરના એસ. જી. હાઇવેની કાયાપલટ થઈ રહી છે.હાઇવેનો રોડ મેપ જોઈને કોઈપણ તેનાથી ચકિત થઈ જાય તેવો છે. આ રસ્તાઓ વિદેશના રસ્તાઓ પર ટક્કર મારે તેવા બની રહ્યા છે.આ કદાચ રાજ્યનો પહેલો હાઇ વે હશે જે ડસ્ટ ફ્રી હશે અને તેની સાથે તમામ સુવિધા સાથે બનેલો પહેલો રોડ હશે.

એસજી હાઇવે પર મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કાફે, ગાર્ડન, વોકવે, સાઇકલ ટ્રેક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. લોકો વાહનો યોગ્ય રીતે પાર્ક કરી શકે અને ટ્રાફિક ન થાય તે માટે સર્વિસ રોડ અને ડેવલપ થનારા એરિયા વચ્ચે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવસે. 1 કિલોમીટર ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવા માટે અંદાજે 25થી 30 લાખ ખર્ચ થશે. ધૂળિયા રોડથી લોકોને બચાવવા પહેલીવાર મુખ્ય રોડ પર આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

સરખેજથી ગાંધીનગર સુધીનો 40 કિમી લાંબો એસજી હાઇવે હવે ગ્રીન કોરિડોર તરીકે ડેવલપ કરાશે. જેમાં પકવાનથી ઇસ્કોન સર્કલ સુધીનો રોડ ડસ્ટ ફ્રી કરવાની કામગીરી 8 મહિનામાં પૂરી થશે. મ્યુનિ., ઔડા, ગુડા અને નેશનલ હાઇવે ઓથોરિટી મળી આ પ્રોજેક્ટ ચાલવશે.જે રાજ્યનો પહેલો ડસ્ટ ફી રોડ હશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...