Sunday, March 1, 2026

રાજ્ય સરકાર દ્વારા બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા જાહેર કરાશે ગાઈડલાઈન

spot_img
Share

ગાંધીનગર : તાજેતરમાં સુરતમાં 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા. બાળકોમાં સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારમાં રાજ્યકક્ષા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે એક મિટિંગ બોલાવી હતી. શિક્ષણ મંત્રીએ મીટીંગમાં આજે શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, અને સાયકાટ્રીસ્ટ ડૉક્ટર ને સાથે રાખીને બાળકોમાં સોશ્યિલ મીડિયા ના ઉપયોગને લઈને થતા નુકસાન અંગે ચર્ચા કરી હતી. અને બાળકોને સોશ્યિલ મીડિયા થી બાળકોને કેવી રીતના દૂર રાખી શકાય તેની અંગે ચર્ચા થઈ હતી. ત્યારે આ મિટિંગ પછી પ્રફુલ પાનશેરીયાએ નિવેદન આપતા કહ્યું કે, સરકાર થોડા સમયમાં પરીપત્ર જાહેર કરશે કે, બાળકોને શાળા માં શિક્ષણ દરમિયાન ક્લાસ રૂમમાં મોબાઈલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. બાળકો મોબાઈલ નો ઉપયોગ ઓછો કરી રમત-ગમત ની પ્રવુતિમાં વધારે ધ્યાન આપે તેવો સરકાર પ્રયત્ન કરશે.

કોરોનાના સમયમાં ઓનલાઇન શિક્ષણ માટે બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા. પણ હવે બાળકો શિક્ષણ કરતા સોશ્યિલ મીડિયા વાપરવા માટે મોબાઈલ નો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને ઘણા દુષ્પરિણામો સામે આવ્યા છે. સોશ્યિલ મીડિયાનું વળગણ બાળકો માટે હવે નુકસાન કારક બની રહ્યું છે. બાળકોમાં હવે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે થોડાક દિવસ પહેલા અરવલ્લી માંથી એક ઘટના સામે આવી હતી. એક પાંચમા ધોરણમાં ભણતી બાળકી ઘર છોડીને પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે માતા-પિતા હવે સરકાર પાસે સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને બાળકો માટે નવા નિયમો બનાવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગ ને લઈને નવા નિયમો બનાવવા હવે આગળ આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...