Wednesday, September 17, 2025

રાજ્ય સરકાર દ્વારા બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા જાહેર કરાશે ગાઈડલાઈન

Share

Share

ગાંધીનગર : તાજેતરમાં સુરતમાં 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા. બાળકોમાં સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારમાં રાજ્યકક્ષા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે એક મિટિંગ બોલાવી હતી. શિક્ષણ મંત્રીએ મીટીંગમાં આજે શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, અને સાયકાટ્રીસ્ટ ડૉક્ટર ને સાથે રાખીને બાળકોમાં સોશ્યિલ મીડિયા ના ઉપયોગને લઈને થતા નુકસાન અંગે ચર્ચા કરી હતી. અને બાળકોને સોશ્યિલ મીડિયા થી બાળકોને કેવી રીતના દૂર રાખી શકાય તેની અંગે ચર્ચા થઈ હતી. ત્યારે આ મિટિંગ પછી પ્રફુલ પાનશેરીયાએ નિવેદન આપતા કહ્યું કે, સરકાર થોડા સમયમાં પરીપત્ર જાહેર કરશે કે, બાળકોને શાળા માં શિક્ષણ દરમિયાન ક્લાસ રૂમમાં મોબાઈલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. બાળકો મોબાઈલ નો ઉપયોગ ઓછો કરી રમત-ગમત ની પ્રવુતિમાં વધારે ધ્યાન આપે તેવો સરકાર પ્રયત્ન કરશે.

કોરોનાના સમયમાં ઓનલાઇન શિક્ષણ માટે બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા. પણ હવે બાળકો શિક્ષણ કરતા સોશ્યિલ મીડિયા વાપરવા માટે મોબાઈલ નો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને ઘણા દુષ્પરિણામો સામે આવ્યા છે. સોશ્યિલ મીડિયાનું વળગણ બાળકો માટે હવે નુકસાન કારક બની રહ્યું છે. બાળકોમાં હવે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે થોડાક દિવસ પહેલા અરવલ્લી માંથી એક ઘટના સામે આવી હતી. એક પાંચમા ધોરણમાં ભણતી બાળકી ઘર છોડીને પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે માતા-પિતા હવે સરકાર પાસે સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને બાળકો માટે નવા નિયમો બનાવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગ ને લઈને નવા નિયમો બનાવવા હવે આગળ આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...