Friday, January 23, 2026

રાજ્ય સરકાર દ્વારા બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા જાહેર કરાશે ગાઈડલાઈન

spot_img
Share

ગાંધીનગર : તાજેતરમાં સુરતમાં 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા. બાળકોમાં સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારમાં રાજ્યકક્ષા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે એક મિટિંગ બોલાવી હતી. શિક્ષણ મંત્રીએ મીટીંગમાં આજે શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, અને સાયકાટ્રીસ્ટ ડૉક્ટર ને સાથે રાખીને બાળકોમાં સોશ્યિલ મીડિયા ના ઉપયોગને લઈને થતા નુકસાન અંગે ચર્ચા કરી હતી. અને બાળકોને સોશ્યિલ મીડિયા થી બાળકોને કેવી રીતના દૂર રાખી શકાય તેની અંગે ચર્ચા થઈ હતી. ત્યારે આ મિટિંગ પછી પ્રફુલ પાનશેરીયાએ નિવેદન આપતા કહ્યું કે, સરકાર થોડા સમયમાં પરીપત્ર જાહેર કરશે કે, બાળકોને શાળા માં શિક્ષણ દરમિયાન ક્લાસ રૂમમાં મોબાઈલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. બાળકો મોબાઈલ નો ઉપયોગ ઓછો કરી રમત-ગમત ની પ્રવુતિમાં વધારે ધ્યાન આપે તેવો સરકાર પ્રયત્ન કરશે.

કોરોનાના સમયમાં ઓનલાઇન શિક્ષણ માટે બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા. પણ હવે બાળકો શિક્ષણ કરતા સોશ્યિલ મીડિયા વાપરવા માટે મોબાઈલ નો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને ઘણા દુષ્પરિણામો સામે આવ્યા છે. સોશ્યિલ મીડિયાનું વળગણ બાળકો માટે હવે નુકસાન કારક બની રહ્યું છે. બાળકોમાં હવે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે થોડાક દિવસ પહેલા અરવલ્લી માંથી એક ઘટના સામે આવી હતી. એક પાંચમા ધોરણમાં ભણતી બાળકી ઘર છોડીને પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે માતા-પિતા હવે સરકાર પાસે સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને બાળકો માટે નવા નિયમો બનાવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગ ને લઈને નવા નિયમો બનાવવા હવે આગળ આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...