Sunday, November 9, 2025

રાજ્ય સરકાર દ્વારા બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા જાહેર કરાશે ગાઈડલાઈન

spot_img
Share

ગાંધીનગર : તાજેતરમાં સુરતમાં 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા. બાળકોમાં સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારમાં રાજ્યકક્ષા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે એક મિટિંગ બોલાવી હતી. શિક્ષણ મંત્રીએ મીટીંગમાં આજે શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, અને સાયકાટ્રીસ્ટ ડૉક્ટર ને સાથે રાખીને બાળકોમાં સોશ્યિલ મીડિયા ના ઉપયોગને લઈને થતા નુકસાન અંગે ચર્ચા કરી હતી. અને બાળકોને સોશ્યિલ મીડિયા થી બાળકોને કેવી રીતના દૂર રાખી શકાય તેની અંગે ચર્ચા થઈ હતી. ત્યારે આ મિટિંગ પછી પ્રફુલ પાનશેરીયાએ નિવેદન આપતા કહ્યું કે, સરકાર થોડા સમયમાં પરીપત્ર જાહેર કરશે કે, બાળકોને શાળા માં શિક્ષણ દરમિયાન ક્લાસ રૂમમાં મોબાઈલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. બાળકો મોબાઈલ નો ઉપયોગ ઓછો કરી રમત-ગમત ની પ્રવુતિમાં વધારે ધ્યાન આપે તેવો સરકાર પ્રયત્ન કરશે.

કોરોનાના સમયમાં ઓનલાઇન શિક્ષણ માટે બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા. પણ હવે બાળકો શિક્ષણ કરતા સોશ્યિલ મીડિયા વાપરવા માટે મોબાઈલ નો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને ઘણા દુષ્પરિણામો સામે આવ્યા છે. સોશ્યિલ મીડિયાનું વળગણ બાળકો માટે હવે નુકસાન કારક બની રહ્યું છે. બાળકોમાં હવે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે થોડાક દિવસ પહેલા અરવલ્લી માંથી એક ઘટના સામે આવી હતી. એક પાંચમા ધોરણમાં ભણતી બાળકી ઘર છોડીને પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે માતા-પિતા હવે સરકાર પાસે સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને બાળકો માટે નવા નિયમો બનાવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગ ને લઈને નવા નિયમો બનાવવા હવે આગળ આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...