Thursday, March 5, 2026

આજે મહાકુંભ માટે પ્રથમ બસ રવાના, મુખ્યમંત્રીના હસ્તે ST વોલ્વો બસનું પ્રસ્થાન, અન્ય શહેરોમાંથી પણ ઉપડશે બસ

spot_img
Share

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ‘ચલો કુંભ ચલે’ ના નારા સાથે એસટી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. મહાકુંભ જવા માટેની પ્રથમ એસટી વોલ્વો બસને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના અન્ય શહેરોમાંથી પણ વોલ્વો બસ ઉપડે તેવી પણ વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે જેથી કરીને અન્ય શહેરાના લોકો પણ મહાકુંભનો લાભ લઈ શકે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સર્કિટ હાઉસથી આ બસને પ્રસ્થાન કરાવ્યું છે. મંગળવારથી રોજ સવારે 7:00 કલાકે રાણીપથી આ બસ ઉપડશે. યાત્રીઓ માટે ₹8100માં ત્રણ રાત, ચાર દિવસનું પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.ગુજરાત ટુરીઝમ અને એસટી નિગમ દ્વારા ખાસ પ્રયાગરાજ મહાકુંભ માટે આ બસ દોડાવવામાં આવશે. જો કે મહાકુંભમાં જનાર STની વોલ્વો બસો અત્યારથી જ હાઉસફૂલ છે. યાત્રીઓનો ધસારો જતો બસો વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે.

વિશેષ ટ્રેન અને પ્લેનની સુવિધા બાદ હવે બસના માધ્યમથી પણ ગુજરાતના યાત્રીઓ મહાકુંભમાં ડુબકી લગાવવા જઈ શકશે. એક તરફ પ્લેનના ભાડા વધુ છે ત્યારે ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા AC વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રી માત્ર 8100 રૂપિયાના ખર્ચે પ્રયાગરાજ પહોંચીને પરત આવી શકશે.

“ચલો કુંભ ચલે”ના સ્લોગન સાથે આ વિશેષ બસ દોડાવાઈ રહી છે. જેનો આજથી શુભારંભ થઈ ચુક્યો છે. ચાર દિવસ અને ત્રણ રાતના આ પ્રવાસમાં એક માત્ર ભોજનનો ખર્ચ યાત્રીઓએ જાતે ઉઠાવવાનો રહેશે. બાકી રહેવાની તમામ વ્યવસ્થા પણ આ પેકેજમાં સામેલ છે. આવતીકાલથી રોજ સવારે સાત કલાકે આ બસ રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે.

આ અંગે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પ્રયાગરાજ કુંભમાં જવા માટે મુસાફરોની સાથે કાર્યકરો પણ જઈ રહ્યા છે. જેથી કરીને કુંભ જઈ રહેલા અન્ય યાત્રિકોની વ્યવસ્થા થઈ શકે. મુસાફરોને કુંભમાં કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા એસ ટી નિગમ દ્વારા કરવામાં આવી છે. વધુને વધુ લોકો મહાકુંભમાં જવાનો લાભ લઈ શકે તે માટે અન્ય શહેરોમાંથી પણ બસો ચાલવાની વ્યવસ્થા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...