Tuesday, January 20, 2026

આજે મહાકુંભ માટે પ્રથમ બસ રવાના, મુખ્યમંત્રીના હસ્તે ST વોલ્વો બસનું પ્રસ્થાન, અન્ય શહેરોમાંથી પણ ઉપડશે બસ

spot_img
Share

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ‘ચલો કુંભ ચલે’ ના નારા સાથે એસટી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. મહાકુંભ જવા માટેની પ્રથમ એસટી વોલ્વો બસને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના અન્ય શહેરોમાંથી પણ વોલ્વો બસ ઉપડે તેવી પણ વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે જેથી કરીને અન્ય શહેરાના લોકો પણ મહાકુંભનો લાભ લઈ શકે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સર્કિટ હાઉસથી આ બસને પ્રસ્થાન કરાવ્યું છે. મંગળવારથી રોજ સવારે 7:00 કલાકે રાણીપથી આ બસ ઉપડશે. યાત્રીઓ માટે ₹8100માં ત્રણ રાત, ચાર દિવસનું પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.ગુજરાત ટુરીઝમ અને એસટી નિગમ દ્વારા ખાસ પ્રયાગરાજ મહાકુંભ માટે આ બસ દોડાવવામાં આવશે. જો કે મહાકુંભમાં જનાર STની વોલ્વો બસો અત્યારથી જ હાઉસફૂલ છે. યાત્રીઓનો ધસારો જતો બસો વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે.

વિશેષ ટ્રેન અને પ્લેનની સુવિધા બાદ હવે બસના માધ્યમથી પણ ગુજરાતના યાત્રીઓ મહાકુંભમાં ડુબકી લગાવવા જઈ શકશે. એક તરફ પ્લેનના ભાડા વધુ છે ત્યારે ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા AC વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રી માત્ર 8100 રૂપિયાના ખર્ચે પ્રયાગરાજ પહોંચીને પરત આવી શકશે.

“ચલો કુંભ ચલે”ના સ્લોગન સાથે આ વિશેષ બસ દોડાવાઈ રહી છે. જેનો આજથી શુભારંભ થઈ ચુક્યો છે. ચાર દિવસ અને ત્રણ રાતના આ પ્રવાસમાં એક માત્ર ભોજનનો ખર્ચ યાત્રીઓએ જાતે ઉઠાવવાનો રહેશે. બાકી રહેવાની તમામ વ્યવસ્થા પણ આ પેકેજમાં સામેલ છે. આવતીકાલથી રોજ સવારે સાત કલાકે આ બસ રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે.

આ અંગે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પ્રયાગરાજ કુંભમાં જવા માટે મુસાફરોની સાથે કાર્યકરો પણ જઈ રહ્યા છે. જેથી કરીને કુંભ જઈ રહેલા અન્ય યાત્રિકોની વ્યવસ્થા થઈ શકે. મુસાફરોને કુંભમાં કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા એસ ટી નિગમ દ્વારા કરવામાં આવી છે. વધુને વધુ લોકો મહાકુંભમાં જવાનો લાભ લઈ શકે તે માટે અન્ય શહેરોમાંથી પણ બસો ચાલવાની વ્યવસ્થા કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...