Saturday, May 2, 2026

અમદાવાદના આ વિસ્તારમાં રબારી વસાહત પર ફર્યું તંત્રનું બુલડોઝર, 500થી વધુ માલધારીઓ બન્યા બેઘર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા બેઘર બનેલી માલધારી સમાજની મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓનો આરોપ હતો કે, કોઈ નોટિસ વિના અમારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મનપાના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ઉભા થઈ ગયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત 20 જાન્યુઆરીના રોજ ઓઢવની રબારી વસાહત સહિત અનેક ઠેકાણે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતુ. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 40 રહેણાંક મકાનો તેમજ 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1833 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.

તંત્રનું બુલડોઝર ફરી વળતા રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહીએ છીએ. અમે ગેરકાયદે વસવાટ નથી કરતા. અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહેવાનો ટેક્સ ભરીએ છીએ અને લાઈટ બિલ ભરીએ છીએ.રોટલાના પણ ફાંફાવહીવટી તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. માત્ર રાતે કહી ગયા અને સવારે તો બુલડોઝર લઈને આવી ગયા હતા, હાલ અમે રોડ પર આવી ગયા છીએ. અમે જ્યાં-ત્યાં રોડ પર સામાન રાખીને રહીએ છીએ. અમારા માટે રહેવાનું તો ઠીક હવે તો રોટલાના પણ ફાંફા પડી ગયા છે.

ઈસુદાન ગઢવીએ કર્યા આરોપ આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ફક્ત એક દિવસની નોટિસમાં રાતોરાત એક જ દિવસમાં મકાનો તોડી પાડવામાં આવે છે. કેટલાય ઉદ્યોગપતિઓએ જમીનો પચાવી પાડી છે અને કરોડો ચોરસ મીટર ગોચર જમીન ખાઈ ગયા છે તેમના પર બુલડોઝર નથી ચાલતા. આવા ગેરકાયદેસર રીતે સરકારે અને મ્યુનિસિપાલ્ટીએ કામ કર્યું છે, તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...