Thursday, March 12, 2026

અમદાવાદના આ ત્રણ બ્રિજના બ્યુટિફિકેશન માટે રૂ.100 કરોડ ખર્ચાશે, આ પ્રયોગ સફળ રહેશે તો…

spot_img
Share

અમદાવાદ : સાબરમતી નદી ઉપર આવેલા સરદાર,ગાંધી તથા દધિચી બ્રિજના બ્યુટીફિકેશન પાછળ રુપિયા 100 કરોડનો ખર્ચ કરવા મંજૂરી માંગતી દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકવામાં આવી છે.આ ત્રણ બ્રિજ ઉપર કાયમી ધોરણે સ્ટીલ સ્ટ્રકચરમાં થીમબેઝ રેલીંગ,ડેકોરેટીવ લાઈટીંગ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્ત મુજબ જમાલપુર- પાલડી વચ્ચેના સરદાર બ્રિજ, શાહપુરથી ઈન્કમટેક્સ પાસેના ગાંધી બ્રિજ, વાડજ- દૂધેશ્વરને જોડતાં દધીચી બ્રિજને નવા રંગરૂપથી તૈયાર કરાશે. આ માટે બ્રિજ પર કાયમી ધોરણે લાઈટિંગની સાથે સ્ટીલ સ્ટ્રક્ચરમાં થીમ રેલિંગ, ઓછા વજનના વિવિધ સ્ટ્રક્ચર અને રંગબેરંગી લાઇટિંગ કરાશે. આ દરખાસ્ત ટેન્ડરના ભાવ કરતા 38 ટકા વધારે રકમ સાથે ટેન્ડર આપવાની ભલામણ કરાઇ છે. અધિકારીઓના મતે, દરરોજ એક-એક બ્રિજ પરથી એક લાખ કરતા વધારે લોકોની અવર-જવર છે. બ્યુટીફિકેશન બાદ શહેરની એક આગવી નવી ઓળખ ઉભી થશે.

હાલમાં સામાન્ય લાઇટમાં પણ બ્રિજ નદીમાંથી બહુ જ સુંદર લાગે છે. રિવરફ્રન્ટને કારણે ટુરિસ્ટ મોટી સંખ્યામાં રાત્રે પણ આ વિસ્તારમાં ફરતા હોય છે. આ સ્થિતિમાં તેઓ યોગ્ય ફોટો પણ લઇ શકે તે માટે આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ સ્થિતિમાં જો તેઓને યોગ્ય રીતે લાઇટિંગ અને સ્ટ્રક્ચરથી તૈયાર કરવામાં આવે તો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે અને બહારથી આવતા લોકો માટે અમદાવાદની અલગ ઓળખ બનશે.

તમને જણાવી દઈ કે હાલમાં 3 બ્રિજ પર કાયમી સ્ટ્રક્ચર અને લાઇટિંગની વ્યવસ્થા તૈયાર કરાશે. તેની સફળતા અને લોકોના પ્રતિભાવ બાદ શહેરના જાણીતા અન્ય બ્રિજો પર પણ આ જ પ્રકારે બ્યુટિફિકેશન કરાશે. માત્ર બ્રિજની સાઈડની રેલિંગ જ નહીં પરંતુ તેની અલગ જ ઓળખ ઉભી થાય તે પ્રકારે બ્રિજ તૈયાર કરાશે. પરંતુ હાલ આ 3 બ્રિજનું બ્યુટીફિકેશન પ્રાયોગિક ધોરણે પૂરું કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...