Saturday, May 2, 2026

અમદાવાદના આ ત્રણ બ્રિજના બ્યુટિફિકેશન માટે રૂ.100 કરોડ ખર્ચાશે, આ પ્રયોગ સફળ રહેશે તો…

spot_img
Share

અમદાવાદ : સાબરમતી નદી ઉપર આવેલા સરદાર,ગાંધી તથા દધિચી બ્રિજના બ્યુટીફિકેશન પાછળ રુપિયા 100 કરોડનો ખર્ચ કરવા મંજૂરી માંગતી દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકવામાં આવી છે.આ ત્રણ બ્રિજ ઉપર કાયમી ધોરણે સ્ટીલ સ્ટ્રકચરમાં થીમબેઝ રેલીંગ,ડેકોરેટીવ લાઈટીંગ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્ત મુજબ જમાલપુર- પાલડી વચ્ચેના સરદાર બ્રિજ, શાહપુરથી ઈન્કમટેક્સ પાસેના ગાંધી બ્રિજ, વાડજ- દૂધેશ્વરને જોડતાં દધીચી બ્રિજને નવા રંગરૂપથી તૈયાર કરાશે. આ માટે બ્રિજ પર કાયમી ધોરણે લાઈટિંગની સાથે સ્ટીલ સ્ટ્રક્ચરમાં થીમ રેલિંગ, ઓછા વજનના વિવિધ સ્ટ્રક્ચર અને રંગબેરંગી લાઇટિંગ કરાશે. આ દરખાસ્ત ટેન્ડરના ભાવ કરતા 38 ટકા વધારે રકમ સાથે ટેન્ડર આપવાની ભલામણ કરાઇ છે. અધિકારીઓના મતે, દરરોજ એક-એક બ્રિજ પરથી એક લાખ કરતા વધારે લોકોની અવર-જવર છે. બ્યુટીફિકેશન બાદ શહેરની એક આગવી નવી ઓળખ ઉભી થશે.

હાલમાં સામાન્ય લાઇટમાં પણ બ્રિજ નદીમાંથી બહુ જ સુંદર લાગે છે. રિવરફ્રન્ટને કારણે ટુરિસ્ટ મોટી સંખ્યામાં રાત્રે પણ આ વિસ્તારમાં ફરતા હોય છે. આ સ્થિતિમાં તેઓ યોગ્ય ફોટો પણ લઇ શકે તે માટે આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ સ્થિતિમાં જો તેઓને યોગ્ય રીતે લાઇટિંગ અને સ્ટ્રક્ચરથી તૈયાર કરવામાં આવે તો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે અને બહારથી આવતા લોકો માટે અમદાવાદની અલગ ઓળખ બનશે.

તમને જણાવી દઈ કે હાલમાં 3 બ્રિજ પર કાયમી સ્ટ્રક્ચર અને લાઇટિંગની વ્યવસ્થા તૈયાર કરાશે. તેની સફળતા અને લોકોના પ્રતિભાવ બાદ શહેરના જાણીતા અન્ય બ્રિજો પર પણ આ જ પ્રકારે બ્યુટિફિકેશન કરાશે. માત્ર બ્રિજની સાઈડની રેલિંગ જ નહીં પરંતુ તેની અલગ જ ઓળખ ઉભી થાય તે પ્રકારે બ્રિજ તૈયાર કરાશે. પરંતુ હાલ આ 3 બ્રિજનું બ્યુટીફિકેશન પ્રાયોગિક ધોરણે પૂરું કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...