અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત VS ઇંગ્લેન્ડ વન ડે મેચ રમાવાની છે. ત્યારે ક્રિકેટ રસીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે. મેચની ટિકિટોનું વેચાણ આજરોજ (9 ફેબ્રુઆરી) રવિવારથી શરૂઆત થઈ ગયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજથી એટલે કે 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ઓફલાઈન ટિકિટ સવારે 10 થી 6 વાગ્યા વચ્ચેના સમયગાળામાં ખરીદી શકો છો. ત્યાં 1000 થી વધુના ભાવની ટિકિટોનું ઓફલાઈન વેચાણ કરવામાં આવશે. ભારત VS ઇંગ્લેન્ડ મેચના ગેટ નંબર 1 પરથી ટિકિટ ખરીદી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ રમાશે બંને વચ્ચે વન ડે મેચ રમાવાની છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત VS ઇંગ્લેન્ડ ત્રીજી વન-ડે મેચ રમાવવાની છે. મેચની ટિકિટોનું ઓનલાઈન બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું હતું. રૂ. 500થી લઇને 12500 સુધીની ટિકિટો ઓનલાઈન વેચાઈ રહી છે. જે લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે, તેઓ પોતાની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ ખાતેથી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સ્ટેડિયમ ખાતેથી લોકો ટિકિટ ખરીદી પણ શકે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ ભારત VS ઇંગ્લેન્ડ વન ડે મેચ યોજાવાની છે. જેનો લાભ દર્શકો સરળતાથી લઈ શકે તેના માટે ઓફલાઈન ટિકિટ વેચાણનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં 1 હજારથી વધુની કિંમતની ટિકિટનું વેચાણ કરવામાં આવશે.


