Thursday, March 12, 2026

મેમનગરમાં ભયંકર અકસ્માત, બેફામ કારચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાઓ હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવી ઘટનાઓ વધુને વધુ પ્રકાશમાં આવતી હોય છે. શહેરમાં આવા વધતા જતા અકસ્માતના બનાવો ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. ત્યારે વધુમાં ફરી એક વાર શહેર મેમનગરમાં હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મેમનગર વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. અકસ્માતમાં કાર ચાલકે 5 થી 6 વાહનોને અડફેટે લીધા. આરોપી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. હિટ એન્ડ રનમાં 5થી 6 લોકોને પણ અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા. એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયાનો દાવો છે. વધુ બે લોકોની હાલત પણ ગંભીર હોવાનો દાવો છે. આરોપીની કારમાં દારૂની બોટલ હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે.

આજે સોમવારના દિવસો સવારે લોકો નોકરી-ધંધા માટે જઈ રહ્યા હતા, ત્યારે મેમનગર વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ અર્ટીગા કારના ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. GJ 01 WA 5408 નંબરની અર્ટીગા કારના ચાલકે લોકોને ઉલાળ્યા હતા. કાર ચાલકે એક પછી એક 5 થી 6 વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ, કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. જ્યારે ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, રફતારના કહેરના કારણે અનેક ગંભીર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને, નશાની હાલતમાં ગંભીર અકસ્માત સર્જનાર ચાલકોના લીધે નિર્દોષ રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે અવારનવાર સામે આવતી આવી ઘટનાઓના પગલે રસ્તે જતાં રાહદારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળતો હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...