Wednesday, January 21, 2026

મેમનગરમાં ભયંકર અકસ્માત, બેફામ કારચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાઓ હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવી ઘટનાઓ વધુને વધુ પ્રકાશમાં આવતી હોય છે. શહેરમાં આવા વધતા જતા અકસ્માતના બનાવો ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. ત્યારે વધુમાં ફરી એક વાર શહેર મેમનગરમાં હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મેમનગર વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. અકસ્માતમાં કાર ચાલકે 5 થી 6 વાહનોને અડફેટે લીધા. આરોપી નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. હિટ એન્ડ રનમાં 5થી 6 લોકોને પણ અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા. એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયાનો દાવો છે. વધુ બે લોકોની હાલત પણ ગંભીર હોવાનો દાવો છે. આરોપીની કારમાં દારૂની બોટલ હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે.

આજે સોમવારના દિવસો સવારે લોકો નોકરી-ધંધા માટે જઈ રહ્યા હતા, ત્યારે મેમનગર વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ અર્ટીગા કારના ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. GJ 01 WA 5408 નંબરની અર્ટીગા કારના ચાલકે લોકોને ઉલાળ્યા હતા. કાર ચાલકે એક પછી એક 5 થી 6 વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ, કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. જ્યારે ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, રફતારના કહેરના કારણે અનેક ગંભીર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને, નશાની હાલતમાં ગંભીર અકસ્માત સર્જનાર ચાલકોના લીધે નિર્દોષ રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે અવારનવાર સામે આવતી આવી ઘટનાઓના પગલે રસ્તે જતાં રાહદારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળતો હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...