Wednesday, March 11, 2026

અમદાવાદમાં મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ સુધી AMTSની બસ દોડશે, જાણો ક્યારથી શરૂ થશે નવો રૂટ

spot_img
Share

અમદાવાદ : AMTS દ્વારા ગાંધીનગર અક્ષરધામ સુધીનો નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલ મંગળવારથી આ નવો રૂટ શરૂ થશે. મણિનગરથી બસ ઉપડીને ગાંધીનગર અક્ષરધામ સુધી જશે. મણિનગર સ્વામીનારાયણ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિરને આ રૂટમાં આવરી લેવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, મણિનગર વિસ્તારમાં રહેતા નાગરિકો તેમજ સચિવાલય નોકરી કરતા નાગરિકો માટે નવો એક્સપ્રેસવે રૂટ શરૂ કરવનો નિર્ણય લીધો છે. જેમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના હરીભકતોને અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર (ગાંધીનગર) જવા માટે સરળતા રહેશે. સચિવાલય તેમજ ગાંધીનગરમાં નોકરી-ધંધાર્થે જવા આવવા માટે કોઈ પણ પ્રકારના કન્સેશન પાસ, ફી પાસ તેમજ મનપસંદ ટિકિટ સિવાયના ફકત ટિકિટ લઇ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેગ્યુલર ભાડા દરથી મણિનગર ટર્મિનસથી અક્ષરધામ મંદિર (ગાંધીનગર) એકસપ્રેસ બસ સેવાનો લાભ મળશે.

અમદાવાદથી જે લોકો ગાંધીનગર અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર સુધી જવા માંગતા હોય તેવા લોકોને હવે ફાયદો થશે. AMTS દ્વારા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે.મણિનગર સ્વામિનારાયણ મંદિરથી ગાંધીનગર અક્ષરધામ મંદિરના કરવા માંગતા ભક્તોને પણ સીધો ફાયદો થશે.

કયો રૂટ

પુષ્પકુંજ (શુકલદાદા ચોક)
એસ.ટી. સ્ટેન્ડ
લાલ દરવાજા
દિલ્હી દરવાજા
શાહીબાગ અંડરબ્રિજ
સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ.)
વિસત સર્કલ
તપોવન સર્કલ (એસ.પી. રીંગ રોડ)
કોબા સર્કલ
પી.ડી.પી.યુ. ક્રોસ રોડ
રક્ષા શકિત સર્કલ
ચ-રોડ ઇન્દ્રોડા સર્કલ
ચ-3 સર્કલ (સેકટર-11), વિધાન સભા
ઉધોગભવન ક્રોસ રોડ
જુના સચિવાલય
ગાંધીનગર અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...