Thursday, January 22, 2026

અમદાવાદમાં મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ સુધી AMTSની બસ દોડશે, જાણો ક્યારથી શરૂ થશે નવો રૂટ

spot_img
Share

અમદાવાદ : AMTS દ્વારા ગાંધીનગર અક્ષરધામ સુધીનો નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલ મંગળવારથી આ નવો રૂટ શરૂ થશે. મણિનગરથી બસ ઉપડીને ગાંધીનગર અક્ષરધામ સુધી જશે. મણિનગર સ્વામીનારાયણ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિરને આ રૂટમાં આવરી લેવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, મણિનગર વિસ્તારમાં રહેતા નાગરિકો તેમજ સચિવાલય નોકરી કરતા નાગરિકો માટે નવો એક્સપ્રેસવે રૂટ શરૂ કરવનો નિર્ણય લીધો છે. જેમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના હરીભકતોને અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર (ગાંધીનગર) જવા માટે સરળતા રહેશે. સચિવાલય તેમજ ગાંધીનગરમાં નોકરી-ધંધાર્થે જવા આવવા માટે કોઈ પણ પ્રકારના કન્સેશન પાસ, ફી પાસ તેમજ મનપસંદ ટિકિટ સિવાયના ફકત ટિકિટ લઇ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેગ્યુલર ભાડા દરથી મણિનગર ટર્મિનસથી અક્ષરધામ મંદિર (ગાંધીનગર) એકસપ્રેસ બસ સેવાનો લાભ મળશે.

અમદાવાદથી જે લોકો ગાંધીનગર અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર સુધી જવા માંગતા હોય તેવા લોકોને હવે ફાયદો થશે. AMTS દ્વારા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે.મણિનગર સ્વામિનારાયણ મંદિરથી ગાંધીનગર અક્ષરધામ મંદિરના કરવા માંગતા ભક્તોને પણ સીધો ફાયદો થશે.

કયો રૂટ

પુષ્પકુંજ (શુકલદાદા ચોક)
એસ.ટી. સ્ટેન્ડ
લાલ દરવાજા
દિલ્હી દરવાજા
શાહીબાગ અંડરબ્રિજ
સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ.)
વિસત સર્કલ
તપોવન સર્કલ (એસ.પી. રીંગ રોડ)
કોબા સર્કલ
પી.ડી.પી.યુ. ક્રોસ રોડ
રક્ષા શકિત સર્કલ
ચ-રોડ ઇન્દ્રોડા સર્કલ
ચ-3 સર્કલ (સેકટર-11), વિધાન સભા
ઉધોગભવન ક્રોસ રોડ
જુના સચિવાલય
ગાંધીનગર અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...