Tuesday, March 17, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં બનશે બે નવા ઓવરબ્રિજ, જાણો ક્યાં બનશે અને કેટલા ફળવાયા ?

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે AMC દ્વારા મુખ્ય ચાર રસ્તા પર બ્રિજ બનાવવામાં આવે છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આરટીઓ સર્કલ પર અને પરિમલ સર્કલ પર બે નવા ઓવરબ્રિજ બનશે. આ બંને બ્રિજ રૂ. 322 કરોડના ખર્ચે બનશે.આ બ્રિજ બનવાના લીધે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાય છે તેનાથી છૂટકારો મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આરટીઓ સર્કલ પર 1624 મીટર લાંબો ફ્લાયઓવર અને લો ગાર્ડન પર આવેલા પંચવટી જંકશન પર એલ આકારનો 779 મીટર લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ બ્રિજ લો ગાર્ડન પાસેની હોટેલ રેડિસન બ્લુથી લઈને પંચવટી સર્કલ થઈને સીએન વિદ્યાલય પાસે ઉતરશે.આ બંને બ્રિજ રૂ. 322 કરોડના ખર્ચે બનશે.આ બ્રિજ બનાવવા પાછળ 75 જેટલા વૃક્ષ કાપવામાં આવશે. આમ આ બ્રિજ લો ગાર્ડન ચાર રસ્તાને પણ આવરી લે તેમ માનવામાં આવે છે.

આ કામો માટે સ્ટેન્ડિંગ કમિટી અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂરી મળી ગઈ છે. તેના પછી આગામી સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે. આ કામ લગભગ 30 મહિનામાં પૂરુ થાય તેવો અંદાજ છે, પણ કદાચ પ્રતિકૂળ સંજોગો સર્જાય તો પણ તે કમસેકમ 36 મહિનામાં પૂરુ થઈ જાય તેમ માનવામાં આવે છે.

મ્યુ કોર્પોરેશનના સૂત્રો મુજબ, આ બંને ઓવરબ્રિજ એવી રીતે બનાવામાં આવશે જેથી હયાત ઓવરબ્રિજ છે તેને નજીકથી કનેકટ કરી શકાય તે રીતે આ ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. આના લીધે સાબરમતીથી આરટીઓ સર્કલ અને નદીપારથી લો ગાર્ડન જ નહીં છેક સીએન અને તેના દ્વારા નેહરુનગર સુધીનો વાહનવ્યવહાર સરળ બની જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...