Saturday, January 24, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં બનશે બે નવા ઓવરબ્રિજ, જાણો ક્યાં બનશે અને કેટલા ફળવાયા ?

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે AMC દ્વારા મુખ્ય ચાર રસ્તા પર બ્રિજ બનાવવામાં આવે છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આરટીઓ સર્કલ પર અને પરિમલ સર્કલ પર બે નવા ઓવરબ્રિજ બનશે. આ બંને બ્રિજ રૂ. 322 કરોડના ખર્ચે બનશે.આ બ્રિજ બનવાના લીધે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાય છે તેનાથી છૂટકારો મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આરટીઓ સર્કલ પર 1624 મીટર લાંબો ફ્લાયઓવર અને લો ગાર્ડન પર આવેલા પંચવટી જંકશન પર એલ આકારનો 779 મીટર લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ બ્રિજ લો ગાર્ડન પાસેની હોટેલ રેડિસન બ્લુથી લઈને પંચવટી સર્કલ થઈને સીએન વિદ્યાલય પાસે ઉતરશે.આ બંને બ્રિજ રૂ. 322 કરોડના ખર્ચે બનશે.આ બ્રિજ બનાવવા પાછળ 75 જેટલા વૃક્ષ કાપવામાં આવશે. આમ આ બ્રિજ લો ગાર્ડન ચાર રસ્તાને પણ આવરી લે તેમ માનવામાં આવે છે.

આ કામો માટે સ્ટેન્ડિંગ કમિટી અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂરી મળી ગઈ છે. તેના પછી આગામી સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે. આ કામ લગભગ 30 મહિનામાં પૂરુ થાય તેવો અંદાજ છે, પણ કદાચ પ્રતિકૂળ સંજોગો સર્જાય તો પણ તે કમસેકમ 36 મહિનામાં પૂરુ થઈ જાય તેમ માનવામાં આવે છે.

મ્યુ કોર્પોરેશનના સૂત્રો મુજબ, આ બંને ઓવરબ્રિજ એવી રીતે બનાવામાં આવશે જેથી હયાત ઓવરબ્રિજ છે તેને નજીકથી કનેકટ કરી શકાય તે રીતે આ ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. આના લીધે સાબરમતીથી આરટીઓ સર્કલ અને નદીપારથી લો ગાર્ડન જ નહીં છેક સીએન અને તેના દ્વારા નેહરુનગર સુધીનો વાહનવ્યવહાર સરળ બની જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...