Wednesday, March 11, 2026

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ સહિત 119 ઈલીગલ ઈમિગ્રન્ટ્સ આવશે ભારત, જુઓ ગુજરાતીઓનું લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. અમેરિકાથી આજે બીજુ પ્લેન 119 ઈલીગલ ઈમિગ્રન્ટ્સને લઈને ભારતમાં લેન્ડ થવાનું છે. અમૃતસરમાં આ પ્લેન લગભગ 10 વાગ્યે રાત્રે આવી પહોંચશે. ડિપોર્ટ કરવામાં આવી રહેલા 119 લોકોમાં 8 ગુજરાતીઓ કોણ છે તેમની કુંડળી પણ ખુલી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે 119 ભારતીયોને લઇને એક વિમાન ભારત આવવા રવાના થયું છે. આજે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોની બીજી ફ્લાઇટ અમૃતસર પહોંચશે. આ ફ્લાઇટમાં 8 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે. ગુજરાતીઓમાં સૌથી વધુ માણસા અને કલોલના હોવાનું જાણવા મળ્યું છે.

એક રિપોર્ટ મુજબ, આ 8 ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થશે

લુહાર ધવલભાઈ કિરીટકુમાર -કલોલ
લુહાર રુદ્ર ધવલભાઈ -કલોલ
મીહિત ઠાકોર – ગુજરાત
પટેલ ધિરાજકુમાર કનુભાઈ -અમદાવાદ
ચૌધરી કનિશ મહેશભાઈ -માણસા
ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી -ગુજરાત
ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી -ગુજરાત
ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી -ગુજરાત

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની બીજી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યે અમૃતસર પહોંચશે. આ ફ્લાઇટમાં 119 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. 119 મુસાફરોમાં પંજાબના સૌથી વધુ 67 મુસાફર, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 2-2 પેસેન્જર તેમજ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના એક-એક મુસાફર હોવાનું જાણવા મળ્યું છે.

આમ આ લિસ્ટમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, અમેરિકાથી આ પહેલા ફેબ્રુઆરીની શરુઆતમાં જે યુએસ મિલિટરીનું કાર્ગો પ્લેન C-17 આવ્યું હતું તેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થયો હતો. નોંધનીય છે કે, શનિવાર પછી રવિવારે પણ એક ફ્લાઈટ આવી રહી છે, જેમાં 150થી વધુ લોકો છે અને તેમાં પણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

એક રિપોર્ટ મુજબ 7,25,000 કરતા વધુ ભારતીયો અમેરિકામાંગેરકાયદે રહેતા હોવાનો આંકડો છે અને જે અમેરિકામાં ગેરકાયદે રહેતા સૌથી મોટા સમુદાયોમાંથી એક કહેવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની પ્રગતિ માટે કેવા પગલાં ભરવામાં આવશે તે અંગેની પ્રચારમાં વાત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...