Wednesday, January 21, 2026

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ સહિત 119 ઈલીગલ ઈમિગ્રન્ટ્સ આવશે ભારત, જુઓ ગુજરાતીઓનું લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. અમેરિકાથી આજે બીજુ પ્લેન 119 ઈલીગલ ઈમિગ્રન્ટ્સને લઈને ભારતમાં લેન્ડ થવાનું છે. અમૃતસરમાં આ પ્લેન લગભગ 10 વાગ્યે રાત્રે આવી પહોંચશે. ડિપોર્ટ કરવામાં આવી રહેલા 119 લોકોમાં 8 ગુજરાતીઓ કોણ છે તેમની કુંડળી પણ ખુલી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે 119 ભારતીયોને લઇને એક વિમાન ભારત આવવા રવાના થયું છે. આજે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોની બીજી ફ્લાઇટ અમૃતસર પહોંચશે. આ ફ્લાઇટમાં 8 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે. ગુજરાતીઓમાં સૌથી વધુ માણસા અને કલોલના હોવાનું જાણવા મળ્યું છે.

એક રિપોર્ટ મુજબ, આ 8 ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થશે

લુહાર ધવલભાઈ કિરીટકુમાર -કલોલ
લુહાર રુદ્ર ધવલભાઈ -કલોલ
મીહિત ઠાકોર – ગુજરાત
પટેલ ધિરાજકુમાર કનુભાઈ -અમદાવાદ
ચૌધરી કનિશ મહેશભાઈ -માણસા
ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી -ગુજરાત
ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી -ગુજરાત
ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી -ગુજરાત

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની બીજી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યે અમૃતસર પહોંચશે. આ ફ્લાઇટમાં 119 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. 119 મુસાફરોમાં પંજાબના સૌથી વધુ 67 મુસાફર, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 2-2 પેસેન્જર તેમજ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના એક-એક મુસાફર હોવાનું જાણવા મળ્યું છે.

આમ આ લિસ્ટમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, અમેરિકાથી આ પહેલા ફેબ્રુઆરીની શરુઆતમાં જે યુએસ મિલિટરીનું કાર્ગો પ્લેન C-17 આવ્યું હતું તેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થયો હતો. નોંધનીય છે કે, શનિવાર પછી રવિવારે પણ એક ફ્લાઈટ આવી રહી છે, જેમાં 150થી વધુ લોકો છે અને તેમાં પણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

એક રિપોર્ટ મુજબ 7,25,000 કરતા વધુ ભારતીયો અમેરિકામાંગેરકાયદે રહેતા હોવાનો આંકડો છે અને જે અમેરિકામાં ગેરકાયદે રહેતા સૌથી મોટા સમુદાયોમાંથી એક કહેવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની પ્રગતિ માટે કેવા પગલાં ભરવામાં આવશે તે અંગેની પ્રચારમાં વાત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...