Thursday, March 12, 2026

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, સારું શિક્ષણ મેળવતા સગીરો પણ કેમ આવું કરે છે ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં સમાજને વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની દસમા ધોરણમાં સીબીએસઇમાં ભણતી બે સગીરા એક સગીર અને યુવકના પ્રેમમાં પડી હતી. જે બાદ તેઓ શાળા અને ટ્યુશનથી છૂટીને અવારનવાર હરવા ફરવા જતા હતા. વાત આટલેથી જ નથી અટકતી. સગીરા તેના આ મિત્રો સાથે પોતાના ઘરમાંથી દાગીના અને રૂપિયાની ચોરી કરીને પહેલા મુંબઈ અને પછી ગોવા ફરવા જતી રહી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એસ.જી. હાઇવે નજીકના એક વિસ્તારમાં રહેતી બે સગીરા ધો.10 સીબીએસઇમાં અભ્યાસ કરે છે. સગીરાને સગીર સાથે જ્યારે અન્ય સગીરાને યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી. આ ચારેય લોકો એકબીજાને વારંવાર મળતા હતા. જ્યારે મળતા ત્યારે ઘરેથી દૂર ફરવાના પ્લાનિંગ પણ કરતા. એક દિવસ સગીરાએ મોજશોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરે સોનાના દાગીના ચોરી લીધા હતા. બાદમાં સગીરા તેનો સગીર પ્રેમી, સગીર બહેનપણી અને તેનો પ્રેમી મળીને ચારેય લોકો અમદાવાદ બહાર નીકળી ગયા હતા. આ લોકો ફરતા ફરતા મુંબઈ પહોંચ્યા અને ત્યાં સગીરાએ દાગીના વેચીને 70 હજાર જેટલા રૂપિયા મેળવી લીધા હતા. જે બાદ આ લોકો ગોવા ફરવા ગયા હતા.

જોકે, સગીરાઓના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે સગીર તેના પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોવાનું સામે આવ્યું. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. બાદમાં ચારેયને ગોવામાંથી શોધી કાઢ્યા હતા. પોલીસ ચારેયને લઈને અમદાવાદ આવી પહોંચી હતી. જોકે એક સગીરાએ પાછું માતા-પિતા સાથે ન રહેવાનું કહેતા હાલમાં તેને બાળ સુધાર ગૃહમાં મોકલી છે. આ સાથે પોલીસે તે બોર્ડની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માતા-પિતાએ 10થી 20 વર્ષના બાળકો સાથે ખૂબ જ સમજદારીપૂર્વક વર્તવાની જરૂર હોય છે. ખાસ કરીને આજના સમયમાં સોશિયલ મીડિયાની અસર નીચે જીવતા તમારા સંતાનો સાથે સતત સંપર્કમાં રહેવું, તેમની સાથે લાગણીનો સંબંધ વધારે મજબૂત બનાવતા રહેવું અને એક મિત્રની જેમ વર્તવું જરૂરી છે. મોટાભાગના માતા-પિતા દીકરીઓ માટે જાસૂસ બની જતા હોય છે અને તેથી જ બળવાના ભાગરૂપે પણ દીકરીઓ ખોટા પગલાં ભરતી હોય છે, તેવું ઘણા મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓ કહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...