Thursday, April 30, 2026

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, સારું શિક્ષણ મેળવતા સગીરો પણ કેમ આવું કરે છે ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં સમાજને વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની દસમા ધોરણમાં સીબીએસઇમાં ભણતી બે સગીરા એક સગીર અને યુવકના પ્રેમમાં પડી હતી. જે બાદ તેઓ શાળા અને ટ્યુશનથી છૂટીને અવારનવાર હરવા ફરવા જતા હતા. વાત આટલેથી જ નથી અટકતી. સગીરા તેના આ મિત્રો સાથે પોતાના ઘરમાંથી દાગીના અને રૂપિયાની ચોરી કરીને પહેલા મુંબઈ અને પછી ગોવા ફરવા જતી રહી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એસ.જી. હાઇવે નજીકના એક વિસ્તારમાં રહેતી બે સગીરા ધો.10 સીબીએસઇમાં અભ્યાસ કરે છે. સગીરાને સગીર સાથે જ્યારે અન્ય સગીરાને યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી. આ ચારેય લોકો એકબીજાને વારંવાર મળતા હતા. જ્યારે મળતા ત્યારે ઘરેથી દૂર ફરવાના પ્લાનિંગ પણ કરતા. એક દિવસ સગીરાએ મોજશોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરે સોનાના દાગીના ચોરી લીધા હતા. બાદમાં સગીરા તેનો સગીર પ્રેમી, સગીર બહેનપણી અને તેનો પ્રેમી મળીને ચારેય લોકો અમદાવાદ બહાર નીકળી ગયા હતા. આ લોકો ફરતા ફરતા મુંબઈ પહોંચ્યા અને ત્યાં સગીરાએ દાગીના વેચીને 70 હજાર જેટલા રૂપિયા મેળવી લીધા હતા. જે બાદ આ લોકો ગોવા ફરવા ગયા હતા.

જોકે, સગીરાઓના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે સગીર તેના પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોવાનું સામે આવ્યું. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. બાદમાં ચારેયને ગોવામાંથી શોધી કાઢ્યા હતા. પોલીસ ચારેયને લઈને અમદાવાદ આવી પહોંચી હતી. જોકે એક સગીરાએ પાછું માતા-પિતા સાથે ન રહેવાનું કહેતા હાલમાં તેને બાળ સુધાર ગૃહમાં મોકલી છે. આ સાથે પોલીસે તે બોર્ડની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માતા-પિતાએ 10થી 20 વર્ષના બાળકો સાથે ખૂબ જ સમજદારીપૂર્વક વર્તવાની જરૂર હોય છે. ખાસ કરીને આજના સમયમાં સોશિયલ મીડિયાની અસર નીચે જીવતા તમારા સંતાનો સાથે સતત સંપર્કમાં રહેવું, તેમની સાથે લાગણીનો સંબંધ વધારે મજબૂત બનાવતા રહેવું અને એક મિત્રની જેમ વર્તવું જરૂરી છે. મોટાભાગના માતા-પિતા દીકરીઓ માટે જાસૂસ બની જતા હોય છે અને તેથી જ બળવાના ભાગરૂપે પણ દીકરીઓ ખોટા પગલાં ભરતી હોય છે, તેવું ઘણા મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓ કહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...