Monday, November 17, 2025

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, સારું શિક્ષણ મેળવતા સગીરો પણ કેમ આવું કરે છે ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં સમાજને વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની દસમા ધોરણમાં સીબીએસઇમાં ભણતી બે સગીરા એક સગીર અને યુવકના પ્રેમમાં પડી હતી. જે બાદ તેઓ શાળા અને ટ્યુશનથી છૂટીને અવારનવાર હરવા ફરવા જતા હતા. વાત આટલેથી જ નથી અટકતી. સગીરા તેના આ મિત્રો સાથે પોતાના ઘરમાંથી દાગીના અને રૂપિયાની ચોરી કરીને પહેલા મુંબઈ અને પછી ગોવા ફરવા જતી રહી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એસ.જી. હાઇવે નજીકના એક વિસ્તારમાં રહેતી બે સગીરા ધો.10 સીબીએસઇમાં અભ્યાસ કરે છે. સગીરાને સગીર સાથે જ્યારે અન્ય સગીરાને યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી. આ ચારેય લોકો એકબીજાને વારંવાર મળતા હતા. જ્યારે મળતા ત્યારે ઘરેથી દૂર ફરવાના પ્લાનિંગ પણ કરતા. એક દિવસ સગીરાએ મોજશોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરે સોનાના દાગીના ચોરી લીધા હતા. બાદમાં સગીરા તેનો સગીર પ્રેમી, સગીર બહેનપણી અને તેનો પ્રેમી મળીને ચારેય લોકો અમદાવાદ બહાર નીકળી ગયા હતા. આ લોકો ફરતા ફરતા મુંબઈ પહોંચ્યા અને ત્યાં સગીરાએ દાગીના વેચીને 70 હજાર જેટલા રૂપિયા મેળવી લીધા હતા. જે બાદ આ લોકો ગોવા ફરવા ગયા હતા.

જોકે, સગીરાઓના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે સગીર તેના પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોવાનું સામે આવ્યું. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. બાદમાં ચારેયને ગોવામાંથી શોધી કાઢ્યા હતા. પોલીસ ચારેયને લઈને અમદાવાદ આવી પહોંચી હતી. જોકે એક સગીરાએ પાછું માતા-પિતા સાથે ન રહેવાનું કહેતા હાલમાં તેને બાળ સુધાર ગૃહમાં મોકલી છે. આ સાથે પોલીસે તે બોર્ડની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માતા-પિતાએ 10થી 20 વર્ષના બાળકો સાથે ખૂબ જ સમજદારીપૂર્વક વર્તવાની જરૂર હોય છે. ખાસ કરીને આજના સમયમાં સોશિયલ મીડિયાની અસર નીચે જીવતા તમારા સંતાનો સાથે સતત સંપર્કમાં રહેવું, તેમની સાથે લાગણીનો સંબંધ વધારે મજબૂત બનાવતા રહેવું અને એક મિત્રની જેમ વર્તવું જરૂરી છે. મોટાભાગના માતા-પિતા દીકરીઓ માટે જાસૂસ બની જતા હોય છે અને તેથી જ બળવાના ભાગરૂપે પણ દીકરીઓ ખોટા પગલાં ભરતી હોય છે, તેવું ઘણા મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓ કહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...