Friday, March 13, 2026

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઈન જાહેર, પરીક્ષામાં શું કરવું અને શું ન કરવું? તે જાણો

spot_img
Share

અમદાવાદ : 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈ ભૂલ ન કરે તે માટે શિક્ષણ બોર્ડે મહત્વની જાણકારી આપી છે. આ પરીક્ષા શું કરવું અને શું ન કરવું તે માટે બોર્ડ દ્વારા ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે.

ધોરણ-10 અને ધોરણ-12ના પરીક્ષાર્થીઓને શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્રમાં દર્શાવેલ વિષય, તારીખ, સમય અને જે-તે વિષયની પરીક્ષા માટે ફાળવાયેલ પરીક્ષા સ્થળના લોકેશનની જાણકારી મેળવી લેવી.
પરીક્ષાના અગાઉના દિવસે પરીક્ષા સ્થળ ખાતે સમય 2:30 PM કલાકથી 5:00 PM કલાક દરમિયાન પરીક્ષાખંડ જોઈ લેવો. પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં.
પ્રવેશપત્ર (Hall Ticket)માં દર્શાવેલ પરીક્ષા સ્થળ અને તમારા નિવાસસ્થાન વચ્ચેનું અંતર અને મુસાફરી માટેના સમયની ગણતરી કરી પરીક્ષા શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પહોંચવાનું સુનિશ્વિત કરી લેશો.
પ્રવેશપત્ર (Hall Ticket)માં દર્શાવેલ નિયમો માટેની પરીક્ષાનો સમય ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળે પહોંચવું.
પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.

S.S.C.E.ના ઉમેદવારો માટે:

ધોરણ-10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રોનો સમય 10:00 AMથી 10:15 AM કલાક વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા 10:15 AMથી 1:15 PM કલાક ઉત્તરો લખવા માટેનો રહેશે.
વોકેશનલ કોર્સના વિષયના પ્રશ્નપત્રો 30 (ત્રીસ) ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રનો સમય 10:00 AM થી 10:15 AM કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા 10:15 AM થી 11:15 AM કલાક સુધી ઉત્તરો લખવા માટેનો રહેશે.
H.S.C.E. સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉતર બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહના ઉમેદવારો માટે :

જે પ્રશ્નપત્રો 100 ગુણના છે તે માટે કુલ સમય 3 કલાક 15 મિનિટનો સમય ઉત્તરવહી પરની વિગતો અને જવાબો લખવા માટે મળશે.

બપોરના સેશન માટે :

ધોરણ-12 માટે બપોરનું સેશન 3:00 PMથી 6:15 PMનું રહેશે.
3:00 PM થી 3:15 PM દરમિયાન ઉત્તરવહી પરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટેનો રહેશે.
3:15 PM થી 6:15 PM દરમિયાન ઉત્તરવહીમાં ઉત્તરો લખવા માટેનો રહેશે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 3:00 PM થી 5:15 PMનો રહેશે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યૂટર અધ્યયન (331) વિષયની સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે. જેનો સમય 3:00 PMથી 5:15 PMનો રહેશે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રના વોકેશનલ કોર્ષના વિષયોની પરીક્ષાનો સમય 3:00 PM થી 4:15 PMનો રહેશે.

H.S.C.E. વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના ઉમેદવાર માટે

પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે.
બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3:00 PM થી 3:15 PM નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો PART-A અને PART-Bના વાંચન માટે આપવામાં આવશે. જ્યારે 3:15 PM થી 4:15 PM OMRમાં PART-A ના જવાબો લખવા માટે આપવામાં આવશે.
4:15 PM થી 4:30 PM દરમિયાન PART-Aની OMR એકત્રિત કરવા તથા PART-B માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનો રહેશે.
4:30 PM થી 6:30 PM નો સમય PART-B ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6:30 PM કલાકે પરીક્ષા પૂર્ણ થશે.

પરીક્ષાર્થીઓએ ધ્યાનમાં લેવાની બાબતો :

પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્થળ ખાતે શક્ય હોય ત્યાં સુધી બૂટ-મોજાં ના પહેરવા અને જો કોઈ પરીક્ષાર્થી બૂટ-મોજાં પહેરીને આવેલ હોય તો તેઓએ પરીક્ષાખંડ બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે.
ધોરણ-10 પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટરના ઉપયોગ કરી શકશે નહીં, કે પરીક્ષાખંડમાં લઈ જઈ શકશે નહીં.
ધોરણ-12ના પરીક્ષાર્થીઓ સાદુ કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે. કોઈપણ સંજોગોમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ કરી શકશે નહીં.
પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષાર્થીએ પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

આટલું ન કરવું :-

પરીક્ષા સ્થળ ખાતે કોઈપણ પ્રકારનું સાહિત્ય, ઇલેક્ટ્રોનિક ગેજેટ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સ્માર્ટ વૉચ, મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો ન લઈ જઈએ.
ઉતાવળમાં ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી જાય નહિ તેની ચકાસણી પરીક્ષા સ્થળમાં પ્રવેશતાં પહેલાં કરી લઈએ.
OMR ઉત્તરપત્રિકામાં જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી શાહીવાળી બૉલપેન સિવાય અન્ય કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરીએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...