Thursday, February 5, 2026

ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ કેવી રીતે કરવું ? જાણો ઉપયોગી માહિતી

spot_img
Share

અમદાવાદ : પ્રાઇવેટ સોસાયટીમાં જમીનની માલિકી હક જે તે સોસાયટીના સભ્યો એટલે કે એસોસિએશન પાસે હોય છે. જેથી એસોસિએશન દ્વારા કાયદામાં દર્શાવેલ નિયમો પ્રમાણે રિડેવલપમેન્ટમાં જઈ શકે છે. જેમાં સોસાયટીનો સામાન્ય જનરલ મીટીંગ (AGM or EGM) બોલાવવી, મીટીંગ માટે લેખીત સરક્યુલર દરેક સભ્યના ઘરે પહોંચાડવો, સરક્યુલર એજન્ડામાં સોસાયટીને રિડેવલપમેન્ટમાં લઈ જવા વિષય તથા AGM ની તારીખ, સમય, સ્થળ તથા કોરમની સ્પષ્ટતા વગેરે હોવા જાેઈએ. એજીએમમાં હાજર સભ્યોની સહી રજીસ્ટરમાં કરાવવી, લેખીત,વીડીયો કે ફોટો રેકોડ્‌ર્સ રાખવા, જરૂરી ઠરાવો કરવા તથા રિડેવલપમેન્ટ સંબંધીત કમીટી બનાવવી અને બહુમત માન્યતા સાથે મેનેજમેન્ટ/રીડેવલપમેન્ટ/એસોસીએશન કમીટીને રિડેવલપમેન્ટ સંબંધીત અનેક સત્તાઓ આપતો ઠરાવ કરવો, તથા આંતરીક કે બાહ્ય લીગલ,સીવીલ કે આર્કિટેક વગેરે પ્રોફેશનલ એજન્સી હાયર કરી કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી દ્વારા પ્રોજેક્ટ બનાવવો પડે. જેમાં આધુનીક સગવડો, નકશા, ડીઝાઈન, યુનીટ તથા લેઆઉટ, પાર્કિંગ, રેન્ટ, વધારાનો એરીયા, દસ્તાવેજ, મકાનની ફાળવણી, અન્ય પ્રત્યક્ષ પરોક્ષ લાભાલાભ, ટેક્ષેશન,લીગલ, બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.જેના પરથી એસોસિએશન દ્વારા જાહેરાત આપી બિલ્ડરના ટેન્ડર મંગાવવામાં આવે છે અને ડેવલોપર દ્વારા તે ટેન્ડર ભરવામાં આવે છે જે તે નિયુક્ત કરેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કે આર્કિટેક તથા એસોસિએશન કમિટી સભ્યો આ બધા ભેગા થઈ તે પ્રોજેક્ટના આવેલા ટેન્ડરના રિવ્યુ કરે છે અને એમાંથી કયા બિડરની ઓફર સૌથી સારી છે રેવન્યુ વાઈસ,ક્વોલેટી ઓફ વર્ક, બેંક ગેરંટી, રેન્ટ, વધારાનો એરીયા, કોમ્પેનશેશન વિગેરે તેને ધ્યાન રાખી તેનો ર્નિણય લેવાય છે. ત્યારબાદ તે સંબંધે જરૂરી પરીબળો સાથે લેખીત રજીસ્ટર્ડ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ સોસાયટી અને બિલ્ડર વચ્ચે કરવામાં આવે છે. અને દરેક વ્યક્તિની વન ટુ વન કન્સેન્ટ લેવામાં આવે છે. જે ૭૫% કે તેથી વધું સભ્યોની ફરજીયાતપણે હોવી જાેઈએ. આ પ્રક્રિયામાં જાે કોઈ એક વ્યક્તિને પણ વાંધો હોય અને મકાન વેચવું હોય તો એ બિલ્ડરને વેચી શકે છે અથવા બિલ્ડર દ્વારા પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે તે વ્યક્તિને તેની સમસ્યાનું નિવારણ કરી પ્રોજેક્ટને સફળતા તરફ લઈ જવા માટેના પ્રયત્નો થઈ શકે છે. પરંતુ આ જમીનની માલિકી હોવાના કારણે જ શક્ય બને છે.આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ જાે આ પ્રક્રિયાનો વિરોધ જ કરે તો તે તેનો મૌલિક અધિકાર છે પણ આવી પરીસ્થીતીમાં એના માટે જે તે એસોસિએશનના સહકાર સાથે બિલ્ડર હાઈકોર્ટની અંદર કેસ કરી શકે છે.બહુમત હીતને ધ્યાને રાખતા કાયદાની જાેગવાઈ મુજબ બાકીના ૨૫% સુધીના અસંમત સભ્યોનું નિવારણ કોર્ટ દ્વારા જ દરેક બિલ્ડરે મેળવવું પડે છે અને તેમાં સફળતા વહેલી મોડી મળે જ છે.

નોંધઃ રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં શરૂઆતથી અંત સુધી થતા દરેક કાર્યોની લેખીત નોંધ ક્રમાનુસાર રાખવી. કોઈપણ લીટીગેસન થાય ત્યારે આ લેખીત નોંધ પ્રમાણ તરીકે ઉપયોગી બને છે. રિડેવલપમેન્ટ રાજ્ય સરકારના કાયદાકીય નિયમોની રીતે તથા જે તે વિસ્તારની સ્થાનીક કોર્પોરેશન કે અમલીકરણ સંસ્થા તથા જીડીસીઆરના નિયમો મુજબ જ કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...