Wednesday, March 11, 2026

બિલ્ડરોના નામે લેભાગું ગેંગ સક્રિય, ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ કરતાં રહીશો સાવધાન..!!

spot_img
Share

અમદાવાદ : આપણે આ અગાઉ હાઉસિંગ બોર્ડની સોસાયટીના રિડેવલપમેન્ટની પોલીસીને લઈને અનેક વાર અહેવાલ પ્રકાશિત કર્યા છે, ગત અંકમાં ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ દરમ્યાન ચાલતા ગોરખધંધા વિશે વાત કરી, સાથે સાથે ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ કઈ રીતે કરવું તેની સાદી સરળ સમજુતી આપી, જેને અમારા વાંચકો દ્વારા બહોળો પ્રતિસાદ મળતા અમો ફરી એક વાર ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ દરમ્યાન ચાલતા ગોરખધંધા વિશે વાત કરીશું…

શહેરના પશ્ચિમના અનેક વિસ્તારોમાં ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ અંતગર્ત વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે શહેરમાં અનેક લેભાગું ગેંગ રિડેવલપમેન્ટના નામે સક્રિય થઈ છે, જેઓ બિલ્ડરના નામે સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ જાેડે વાત કરતા હોય છે, ઘણી વાર રહીશોને અંધારામાં રાખીને સોસાયટીના ચેરમેન સેક્રેટરીને હાથો બનાવીને સમગ્ર વાટાઘાટો કરતા હોય છે.આ પ્રકારની ગેંગ સોસાયટીના રહીશોને હથેળીમાં ચાંદ બતાવી મસમોટી ઓફરો આપી લલચાવવાનો પ્રયાસ કરતા હોય છે.રહીશોમાં જાણકારીના અભાવે સોસાયટીના અગ્રણીઓ, એસોસિયેશનમાં હોદ્દેદારો બિલ્ડરોની સાંઠગાંઠને કારણે રહીશો સુધી પુરતી માહિતી પહોંચાડતા નથી, છેવટે બિલ્ડરો અને સોસાયટીના હોદ્દેદારોના વાંકે રહીશોને વેઠવાનું આવે છે, ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ જાેવા મળ્યા છે.

આવી ગેંગ દ્વારા અનેક સોસાયટીઓમાં મસમોટી ઓફરોમાં મુળ બાંધકામ કરતા અનેકગણું મોટુ બાંધકામ, ગીફટ મની, ફર્નીચરમાં અનેક સુવિધાઓ ઓફરો આપી રિડેવલપમેન્ટની કામગીરી કરતા હોય છે, પરંતુ સોસાયટીના રહીશોએ અહીં સાવધાન થવાની જરૂર છે.હાલમાં ચાલી રહેલ ટ્રેન્ડ મુજબ, બિલ્ડર કે ડેવલપર્સના દલાલો કોઈ પણ એજન્સીનું નામ લઈને સોસાયટીમાં હોદ્દેદારો અને રહીશો સાથે વાટાઘાટો કરતા હોય છે, ઘણી જગ્યાએ તો સોસાયટીના ચેરમેન સેક્રેટરી પણ નાના આર્થિક લાભ માટે આવા દલાલો સાથે સાંઠગાંઠ હોવાનું જાણવા મળ્યું છે.છેવટે બિલ્ડરો અને સોસાયટીના હોદ્દેદારોના વાંકે રહીશોને વેઠવાનું આવે છે, ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ જાેવા મળ્યા છે.

એક રિડેવલપમેન્ટ એકસપર્ટ મુજબ, અમુક લોકો એજન્સીના નામે સોસાયટીના લોકો વાટાઘાટો કરતા હોય છે, સૌ પ્રથમ હોદ્દેદારો સાથે સાંઠગાંઠ રાખીને રિડેવલપમેન્ટનું કાર્ય કરતા હોય છે, પાછળથી સોસાયટીનો રિડેવલપમેન્ટ પ્રોજેકટ બારોબાર બીજાને પધરાવી દેવાનો કારસો પણ હોઈ શકે છે, જાે કે આવા લોકો સોસાયટી જાેડે કરારમાં આ પ્રકારનું લખાણ પણ કરતા હોય છે કે કોઈ અનિવાર્ય સંજાેગોમાં પ્રોજેકટ બીજાને સોંપવાનો થાય તો કોઈએ વાંધો ઉઠાવવો નહિ, ઘણી વાર લાંબ સમય સુધી પ્રોજેક્ટ અટકી રહે અથવા તો આગળ ના વધે તો આવા લોકો સોસાયટી પાસેથી રિડેવલપમેન્ટનો ચાર્જ પણ વસુલતા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે આવા સંજાેગોમાં ખાનગી સોસાયટીએ રિડેવલપમેન્ટ દરમ્યાન શું કરવું..?
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમયસર ડિલિવરીનો ભૂતકાળનો સારો રેકૉર્ડ ધરાવતા શ્રેષ્ઠ, વિશ્વસનીય, વિશ્વાસપાત્ર ડેવલપર હોવો જાેઈએ, સોસાયટીએ તમામ બિલ્ડરર્સની ઑફર્સની સરખામણી કરવાની રહે છે. કેટલીક ઑફરો નાણાકીય રીતે આકર્ષક લાગી શકે છે અને સભ્યો પક્ષપાતી થઈ શકે છે,પરંતુ રિડેવલપમેન્ટના જાણકાર એવું સુચન કરે છે કે માત્ર નાણાકીય લાભોના આધારે ક્યારેય ર્નિણય ન લેવો. ડેવલપરની પસંદગી માટે ધ્યાન રાખવાના સૌથી મહત્ત્વના મુદ્દાઓ છે, જેમ કે બજારમાં તેની પ્રતિષ્ઠા, તેની નાણાકીય સ્થિતિ, સમયસર ડિલિવરીની તેની ભૂતકાળની કામગીરી, તેના પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્‌સની યાદી અને આજ સુધીમાં પૂરા કરાયેલા પ્રોજેક્ટ્‌સની ગુણવત્તા…

આ સિવાય સૌથી અગત્યનો વિષય એ છે કે આ અગાઉ બિલ્ડરર્સ દ્વારા કરાયેલ પ્રોજેક્ટ હાથમાં લેતી વખતે જે વચનો આપ્યાં હતાં એ બધાં પૂર્ણ કર્યાં છે કે નહીં. તેનો ખાસ ખ્યાલ રાખવો જાેઈએ. હાલમાં જે સોસાયટી રિડેવલપમેન્ટ ઈચ્છી રહી છે અને બિલ્ડર્સ કે ડેવલપર્સની પસંદગી કરી રહી એ સોસાયટીના હોદ્દેદારોએ બિલ્ડર્સ કે ડેવલપર્સની જુની સોસાયટીમાં મુલાકાત ફરજીયાત લેવી જાેઈએ. એટલે કે સાઇટ્‌સની મુલાકાત લઈને, ત્યાંના સભ્યો સાથે વાત કરીનેઅને આ ડેવલપર સાથેના તેમના અનુભવને નોંધીને ઉક્ત ચકાસણી કરવી જાેઈએ…

આ સિવાય નદીપારની એક સોસાયટીમાં તાજેતરમાં થયેલ રિડેવલપમેન્ટમાં એક શીખવા જેવું એ છે કે સોસાયટીના હોદ્દેદારોએ રહીશોની હાજરીમાં પસંદ કરાયેલ બિલ્ડર્સ કે ડેવલપર્સ સાથે સીધી વાટાઘાટો કરી, જેનું પરિણામ એ આવ્યું કે સોસાયટીના તમામ સભ્યોએ સર્વસંમતિથી સોસાયટીનું રિડેવલપમેન્ટનું કાર્ય સંપન્ન કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...