Sunday, March 15, 2026

ચાંદલોડિયામાં ફિલ્મી ઢબે થયેલ હત્યાનો ચોંકાવનારો કિસ્સો, મીઠું નાખી યુવકની લાશને જમીનમાં દાટી દીધી

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે ચાલી રહેલ તકરારનો કરુણ અંજામ આવ્યો છે. વારંવાર થતાં ઝઘડાનું મૂળ કાઢી નાખવા માટે પાડોશીએ પત્ની અને અન્ય લોકો પાસે મળીને યુવકની હત્યા કરી દીધી. બાદમાં 20 કિલો મીઠું ખરીદીને ખાડો ખોદી મૃતદેહ દાટી દીધો. જોકે પોલીસે આરોપીઓની પોલ ખુલ્લી પાડી દીધી છે અને પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોલા પોલીસે મહાવીર શાહ, જાગૃતિ શાહ, અતુલ પટેલ, ઋષભ સાપરિયા અને સુનિલ ઠાકોરની કમલેશ તિવારી નામના 38 વર્ષના યુવકની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. ચાંદલોડિયામાં રણછોડ નગર ખાતે રહેતી પ્રતિભા તિવારી નામની મહિલાએ આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો પતિ કમલેશ તિવારી ગોપીનાથ હોટલ ખાતે નોકરી કરે છે. તેઓને સંતાનમાં 5 બાળકો છે. ગત 18 ફેબ્રુઆરીએ તેઓનો પતિ કમલેશ તિવારી ઘરેથી બહાર ગયો હતો અને પરત ન આવતા 19 ફેબ્રુઆરીએ ગુમ થવા અંગેની સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી.

પ્રતિભા તિવારીને પતિ ગુમ થવા બાબતે પહેલાથી પાડોશી મહાવીર શાહ અને તેની પત્ની પર શંકા હતી, જેથી પોલીસે શંકાના આધારે મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિ શાહને બોલાવી પૂછપરછ કરતા શરૂઆતમાં તેઓએ કમલેશ તિવારી ગુમ થવા અંગે અજાણ હોવાનો ડોળ કર્યો હતો. જોકે પોલીસની ભાષામાં કડકાઇથી પૂછપરછ કરતા પતિ પત્ની ભાંગી પડ્યા અને કમલેશ તિવારીની હત્યાનો પર્દાફાશ થયો.

આરોપીની તપાસમાં સામે આવ્યું કે કમલેશ તિવારીને તેની પાડોશમાં રહેતા મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતીબેન શાહ સાથે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. જેથી 18 ફેબ્રુઆરી 2025 ના રોજ બપોરે 1:00 વાગે સમાધાનની વાતચીત કરવા માટે આરોપીઓએ તેને ચાંદલોડિયા સેંધણી માતાના મંદિર ખાતે બોલાવ્યો હતો. કમલેશ તિવારી પોતાના મિત્ર ઋષભ સુપ્રિયાને જોડે લઈ ગયો હતો અને ઋષભ સાપરિયાએ પોતાના અન્ય મિત્ર સુનીલ ઠાકોરને સાથે રાખ્યો હતો. જ્યાંથી અતુલ પટેલની કારમાં બેસાડી તમામને ચાંદલોડિયા અંડર બ્રિજ પાસે અતુલ પટેલ પોતાના ખેતરમાં લઈ ગયો હતો.

જે ખેતરે મહાવીર શાહ તેની પત્ની જાગૃતિ શાહ બંને જણા બાઇક લઈને આવ્યા હતા. સમાધાનની વાતચીત દરમિયાન આરોપીઓ પૈકી અતુલ પટેલે તેનાં ખેતર પાસે ઝૂંપડામાં રહેતા ગમનારામ બાવરીને બોલાવી બપોરના સમયે કમલેશ તિવારીને ખેતરમાં આવેલા લીમડાનાં ઝાડ સાથે દોરડાથી બાંધી લાકડી અને ધારિયા જેવા હથિયારોથી માર માર્યો હતો. જેનાં કારણે તેનું મોત થયું હતું.

જે બાદ સાંજના સમયે કમલેશ તિવારીની લાશને સગેવગે કરવા માટે ખેતરમાં પહેલાથી ખોદેલા ખાડામાં દાટી દેવાનું નક્કી કર્યું હતું. હત્યા બાદ મહાવીર શાહ તેની પત્નીને ઘરે મૂકવા ગયો અને પાછા આવતા સમયે 20 કિલો મીઠું લઈને આવ્યો. અતુલ, મહાવીર અને ગમનારામ બાવરી તમામે લાશને ખાડામાં ફેંકી તેની પર મીઠું નાખી માટી નાખી દીધી હતી. અને પોત પોતાના ઘરે જતા રહ્યા હતા.

આરોપીઓએ પોલીસ સમક્ષ વર્ણવેલી હકિકતને લઈને સોલા પોલીસે SDM ની હાજરીના ઘટના સ્થળ પરથી કમલેશ તિવારીના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢ્યો હતો અને પેનલ પીએમ કરાવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને સોલા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપી મહાવીર શાહ અને કમલેશ તિવારી વચ્ચે 10 વર્ષથી નાની નાની વાતોમાં તકરાર ચાલતી હતી, જેના કારણે વર્ષ 2015, 2022 અને 2023માં સોલામાં 4 ફરિયાદ કમલેશ તિવારી સામે મહાવીર અને તેની પત્નીએ નોંધાવી હતી, જેની સામે કમલેશે 2 અરજી આરોપીઓ સામે કરી હતી. જોકે આ કેસમાં અતુલ પટેલના કહેવાથી હત્યામાં મદદગારી કરનાર ગગનારામ બાવરી ફરાર હોય તેને પકડવાની તજવીજ તેજ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...