Thursday, March 5, 2026

વસ્ત્રાપુર અકસ્માતના CCTV આવ્યા સામે, મર્સિડિઝ કાર ચાલકે મહિલાને 15 ફૂટ સુધી ઢસડી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એકવાર નબીરાઓ બેફામ બન્યા છે. જજીસ બંગલો ચાર રસ્તા પાસે મર્સિડિઝ કારે 62 વર્ષીય મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને 15 ફૂટ સુધી ઢસડી અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાના વાયરલ CCTVના આધારે પોલીસે નબીરાઓની શોધખોળ આદરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ જજીસ બંગલો ચાર રસ્તા પાસે બેફામ ઝડપે આવેલ મર્સિડીઝ કારે કશ્મીરા ઠાકર નામની મહિલાને અડફેટે લીધી હતી. રસ્તે ઓળંગતી મહિલાને કાર ચાલકે 15 ફૂટ સુધી ઢસડી હતી. ખૂબ જ ખરાબ રીતે કાર ચલાવતા નબીરાઓએ અકસ્માત સર્જી પકડાવવાના ડરે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મહિલા ઈજાગ્રસ્ત થતાં નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં નબીરાએ સર્જેલ અકસ્માતનાં હચમચાવી દેતા CCTV વાયરલ થયા છે. કશ્મીરા ઠાકર નામની મહિલાને મર્સિડીઝ કારે અડફેટે લીધા હતા, મહિલાને સોલા સિવિલ બાદમાં SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂટેજને આધારે પોલીસે નબીરાની શોધખોળ કરવા કવાયત આદરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...