Thursday, March 12, 2026

અમદાવાદમાં હોળીને લઈને AMC તંત્રનો મોટો નિર્ણય, સોસાયટીની બહાર હોલિકા દહન કરતા લોકો ખાસ વાંચે

spot_img
Share

અમદાવાદ : દર વર્ષે અમદાવાદમાં અલગ-અલગ સોસાયટીઓ દ્વારા સોસાયટીની બહાર આવેલા રોડ પર હોળીકા દહન કરાતુ હોય છે. રોડ પર હોળીકા દહન કરવાને કારણે રોડને ખાસ્સુ નુકસાન પહોંચતું હોય છે…આ નુકસાન અટકાવવા માટે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કમિશ્નરે રસ્તાઓને નુકસાન થતું અટકાવવા રસ્તા પર હોલિકા દહનને લઈ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય રસ્તા પર ઇંટો અને રેતી નાખવાથી થતા નુકસાનને રોકવાના હેતુથી લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દરેક સોસાયટીને મફતમાં ઈંટો અને રેતી પૂરી પાડશે. સોસાયટી દ્વારા કરવામાં આવેલી માગ મુજબ તેમને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે.જેના માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ સ્થાનિક વોર્ડ ઓફિસનો સંપર્ક કરવો પડશે.

હોલિકા દહન પહેલા, લાકડા અને ગાયના છાણમાંથી બનેલી હોળીની પૂજા કરવામાં આવે છે. હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. પૂજા કરતા પહેલા સ્નાન કરો, પછી જ્યાં હોલિકાની પૂજા કરવામાં આવે છે ત્યાં ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરીને બેસો. ત્યારબાદ હોલિકાને રોલી, ફૂલ, કાચો કપાસ, ગોળ, આખી હળદર, મૂંગ, પતાશા, ગુલાલ, નારિયેળ, પાંચ કે સાત પ્રકારના અનાજ અને જળ અર્પણ કરો. વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી મીઠાઈ અને ફળ પણ ચઢાવો. આ પછી હોળીકાની સાત વાર પરિક્રમા કરો અને પછી હોલીકાનું દહન કરો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...