30.7 C
Gujarat
Saturday, June 21, 2025

અમદાવાદમાં હોળીને લઈને AMC તંત્રનો મોટો નિર્ણય, સોસાયટીની બહાર હોલિકા દહન કરતા લોકો ખાસ વાંચે

Share

અમદાવાદ : દર વર્ષે અમદાવાદમાં અલગ-અલગ સોસાયટીઓ દ્વારા સોસાયટીની બહાર આવેલા રોડ પર હોળીકા દહન કરાતુ હોય છે. રોડ પર હોળીકા દહન કરવાને કારણે રોડને ખાસ્સુ નુકસાન પહોંચતું હોય છે…આ નુકસાન અટકાવવા માટે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કમિશ્નરે રસ્તાઓને નુકસાન થતું અટકાવવા રસ્તા પર હોલિકા દહનને લઈ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય રસ્તા પર ઇંટો અને રેતી નાખવાથી થતા નુકસાનને રોકવાના હેતુથી લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દરેક સોસાયટીને મફતમાં ઈંટો અને રેતી પૂરી પાડશે. સોસાયટી દ્વારા કરવામાં આવેલી માગ મુજબ તેમને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે.જેના માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ સ્થાનિક વોર્ડ ઓફિસનો સંપર્ક કરવો પડશે.

હોલિકા દહન પહેલા, લાકડા અને ગાયના છાણમાંથી બનેલી હોળીની પૂજા કરવામાં આવે છે. હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. પૂજા કરતા પહેલા સ્નાન કરો, પછી જ્યાં હોલિકાની પૂજા કરવામાં આવે છે ત્યાં ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરીને બેસો. ત્યારબાદ હોલિકાને રોલી, ફૂલ, કાચો કપાસ, ગોળ, આખી હળદર, મૂંગ, પતાશા, ગુલાલ, નારિયેળ, પાંચ કે સાત પ્રકારના અનાજ અને જળ અર્પણ કરો. વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી મીઠાઈ અને ફળ પણ ચઢાવો. આ પછી હોળીકાની સાત વાર પરિક્રમા કરો અને પછી હોલીકાનું દહન કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles