Wednesday, March 4, 2026

અમદાવાદમાં તમામ PI પર CCTV દ્વારા કસાયો સકંજો, તમામ ગતિવિધિનો 24 કલાક વોચ અને રેકોર્ડ રહેશે

spot_img
Share

અમદાવાદ : શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી તેઓ હવે 24 કલાક કેમેરાની નજર કેદમાં રહેશે. PI પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી, PIને મળવા કોણ આવ્યું તે તમામ બાબતો ઉપર હવે બાજ નજર રહેશે.

ગુજરાત હાઈકોર્ટે દ્વારા અવાર નવાર ગૃહ વિભાગ અને ડીજીપીને ટકોર બાદ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના PIની ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં પોલીસ સ્ટેશનના PSOની કેબિન, લોકઅપ, ફરિયાદ રૂમ, વેઈટિંગ રૂમ, પોલીસ સ્ટેશનની બહારનો વિસ્તાર કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવાયા છે.તેનાથી પોલીસ સ્ટેશનના PI સીધા જ કેમેરાની નજર સામે હશે, અને સ્ટેશનની અંદર ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. આ અગાઉ ડીસ્ટાફની ઓફિસ અને PIની ચેમ્બરમાં CCTV નહોતા.

હવે જે તે પોલીસ સ્ટેશનમાં PIની ઓફિસમાં લાગેલા કેમેરાથી જોઈ શકાશે કે PI પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી રહ્યા છે, PIને મળવા કોણ આવી રહ્યું છે, તે તમામ બાબતો ઉપર હવે બાજ નજર રહેશે. છેલ્લા એક અઠવાડિયાની અંદર તમામ પોલીસ સ્ટેશનના PIની ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા દેવામાં પરબાજ નજર રાખી શકાશે.

શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી ફરજિયાત રાખવું પડશે. તેવી જ રીતે PIની ચેમ્બરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ પણ રાખવું પડશે. જેથી ચેમ્બરમાં બેઠા બેઠા PIએ કોની સાથે શું વાત કરી અને તેમને મળવા કોણ આવ્યું હતું તેનો તમામ રેકોર્ડ રહી શકે.

આપણે ઘણીવાર જોયું હશે કે મોટાભાગના પોલીસ સ્ટેશનના PI હાજર હોતા નથી, અથવા તો મોડા આવતા હોય છે, પરંતુ સીસીટીવી લાગી જવાથી કેટલાક PI હવે 10 વાગ્યે પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ કરી દીધું છે. જ્યારે કેટલાકે તો બપોરે ઘરે જમવા જવાનું પણ બંધ કરી દીધું છે અને સતત કેબિનમાં જ હાજર રહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...