Thursday, March 5, 2026

અમદાવાદમાં ભાજપ દ્વારા કટોકટી દિવસનો વિરોધ, કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કર્યા ધરણા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સહીત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કટોકટીના દિવસને કાળો દિવસ ગણાવી ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં નવા વાડજમાં, નારણપુરા વોર્ડ, સ્ટેડિયમ વોર્ડ અને રાણીપ વોર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.

શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા ખાતે, અખબારનગર સર્કલ પાસે, સ્ટેડિયમ વોર્ડમાં સુભાષબ્રીજ સર્કલ અને રાણીપ વોર્ડમાં બલોલનગર બ્રીજ પાસે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇ કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા.ભાજપના કાર્યકરોએ ‘લોકશાહીનો કાળો દિવસ’, ‘કેમ ભુલાય કટોકટીનો ડંખ’ અને ‘કોંગ્રેસ દ્વારા બંધારણ અને લોકતંત્રની હત્યા’ બ્લેક પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

અત્રે નોંધીનીય છે કે 25 જૂન 1975ના દિવસે લગાવેલી કટોકટી 21 મહિના બાદ હટાવવામાં આવી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીના કહેવાથી તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહેમદે કલમ ૩૫૨ હેઠળ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...