Friday, January 16, 2026

અમદાવાદમાં ભાજપ દ્વારા કટોકટી દિવસનો વિરોધ, કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કર્યા ધરણા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સહીત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કટોકટીના દિવસને કાળો દિવસ ગણાવી ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં નવા વાડજમાં, નારણપુરા વોર્ડ, સ્ટેડિયમ વોર્ડ અને રાણીપ વોર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.

શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા ખાતે, અખબારનગર સર્કલ પાસે, સ્ટેડિયમ વોર્ડમાં સુભાષબ્રીજ સર્કલ અને રાણીપ વોર્ડમાં બલોલનગર બ્રીજ પાસે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇ કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા.ભાજપના કાર્યકરોએ ‘લોકશાહીનો કાળો દિવસ’, ‘કેમ ભુલાય કટોકટીનો ડંખ’ અને ‘કોંગ્રેસ દ્વારા બંધારણ અને લોકતંત્રની હત્યા’ બ્લેક પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

અત્રે નોંધીનીય છે કે 25 જૂન 1975ના દિવસે લગાવેલી કટોકટી 21 મહિના બાદ હટાવવામાં આવી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીના કહેવાથી તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહેમદે કલમ ૩૫૨ હેઠળ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...