Tuesday, September 16, 2025

અમદાવાદમાં ભાજપ દ્વારા કટોકટી દિવસનો વિરોધ, કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કર્યા ધરણા

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં સહીત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કટોકટીના દિવસને કાળો દિવસ ગણાવી ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં નવા વાડજમાં, નારણપુરા વોર્ડ, સ્ટેડિયમ વોર્ડ અને રાણીપ વોર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.

શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા ખાતે, અખબારનગર સર્કલ પાસે, સ્ટેડિયમ વોર્ડમાં સુભાષબ્રીજ સર્કલ અને રાણીપ વોર્ડમાં બલોલનગર બ્રીજ પાસે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇ કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા.ભાજપના કાર્યકરોએ ‘લોકશાહીનો કાળો દિવસ’, ‘કેમ ભુલાય કટોકટીનો ડંખ’ અને ‘કોંગ્રેસ દ્વારા બંધારણ અને લોકતંત્રની હત્યા’ બ્લેક પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

અત્રે નોંધીનીય છે કે 25 જૂન 1975ના દિવસે લગાવેલી કટોકટી 21 મહિના બાદ હટાવવામાં આવી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીના કહેવાથી તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહેમદે કલમ ૩૫૨ હેઠળ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...